Gautam adani લેશે નિવૃત્તિ, જાણો કોણ સંભાળશે લાખો કરોડોનું સામ્રાજ્ય?

August 5, 2024

Gautam adani: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમની નિવૃત્તિનું આયોજન કર્યું છે. 62 વર્ષીય ગૌતમ અદાણી નિવૃત્તિની તૈયારી કરી રહ્યા છે, થોડા વર્ષોમાં કંપનીની કમાન આગામી પેઢીને સોંપશે. બ્લૂમબર્ગ સાથેની મુલાકાતમાં ગૌતમ અદાણીએ તેમના નિવૃત્તિના આયોજન વિશે વાત કરી હતી. તેમની યોજના મુજબ તેઓ વર્ષ 2030 સુધીમાં કંપનીની કમાન તેમના પુત્ર અને ભત્રીજાઓને સોંપશે. ગૌતમ અદાણીએ 70 વર્ષની વયે નિવૃત્તિનું આયોજન કર્યું છે.

હાલમાં તે 62 વર્ષના છે અને 70 વર્ષની ઉંમર સુધી કામ કરવા માંગે છે. બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેઓ વર્ષ 2030 સુધીમાં અદાણી ગ્રુપનું ચેરમેન પદ છોડી દેશે. તેમની નિવૃત્તિ બાદ કંપનીની જવાબદારી તેમના બે પુત્રો અને બે ભત્રીજાઓ પર રહેશે. અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે અદાણી નિવૃત્ત થશે ત્યારે તેમના ચાર વારસદારો – પુત્રો કરણ અદાણી અને જીત અદાણી અને તેમના ભત્રીજા પ્રણવ અને સાગર અદાણી – પરિવારના ટ્રસ્ટના સમાન લાભાર્થી હશે.

અદાણી ગ્રુપની કમાન કોના હાથમાં રહેશે?

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કંપનીઓમાં કોની પાસે કઈ જવાબદારીઓ હશે તે અંગે એક ગોપનીય કરાર થશે, જેમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં હિસ્સો અને ઉત્તરાધિકારીઓ વચ્ચે ટ્રાન્સફર વિશે સંપૂર્ણ માહિતી શામેલ હશે. તમને જણાવી દઈએ કે હાલમાં ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી અદાણી પોર્ટના મેનેજિંગ ડિરેક્ટર છે, જ્યારે નાના પુત્ર જીત અદાણી અદાણી પોર્ટની જવાબદારી સંભાળે છે અને સાગર અદાણી અદાણીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

અદાણી ગ્રુપના ચેરપર્સન કોણ છે?

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ગૌતમ અદાણીની નિવૃત્તિ બાદ અદાણી ગ્રૂપના ચેરમેનની ખુરશી પર કોણ બેસશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ અહેવાલ મુજબ કરણ અદાણી અને પ્રણવ અદાણી તેના માટે પ્રબળ દાવેદાર હશે. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, બિઝનેસની સ્થિરતા માટે ઉત્તરાધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં પસંદગી બીજી પેઢી પર છોડી દીધી છે કારણ કે પરિવર્તન ઓર્ગેનિક, ક્રમિક અને ખૂબ જ વ્યવસ્થિત હોવું જોઈએ. ગૌતમ અદાણીની નિવૃત્તિ પછી, કટોકટી અથવા મોટી વ્યૂહરચનાઓના કિસ્સામાં સંયુક્ત નિર્ણયો લેવાનું ચાલુ રહેશે.

આ પણ વાંચો: ‘કોચિંગ સેન્ટરો બની ગયા છે ડેથ ચેમ્બર’, UPSCના વિદ્યાર્થીઓના મોત મામલે SC ગુસ્સે 

Read More

Trending Video