આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરશે.
તેમના લગ્ન વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 'ભારતીય થીમ'માં સજાવવામાં આવેલા મંડપમાં કરવામાં આવશે.
અંબાણી પરિવારને હિંદુ રીતિ-રિવાજો અને સનાતન ધર્મમાં ખૂબ શ્રદ્ધા છે. આ કારણથી કાશીની થીમ પસંદ કરવામાં આવી છે.
લગ્ન માટે સમગ્ર સ્થળને ભારતીયતાના રંગોમાં રંગવામાં આવ્યું છે .
મહેમાનોનો ડ્રેસ કોડ હોય, સજાવટ માટે કોતરેલા ફૂલો અને પાંદડા હોય, સંગીત હોય કે વિવિધ પ્રકારની વાનગીઓ હોય, બધું સંપૂર્ણપણે ભારતીય છે.
લગ્ન સમારોહના સ્થળે, કાશી એટલે કે બનારસના ઘાટને બરાબર એ જ રીતે ફરીથી બનાવવામાં આવ્યા છે.
બાબા વિશ્વનાથ મંદિરની પ્રતિકૃતિ અને બનારસની સમૃદ્ધ અને પ્રાચીન પરંપરાઓ વચ્ચે લગ્નની વિધિઓ કરવામાં આવશે.
આ ઘાટ પર મહેમાનો શહેરના ચાટ, કચોરી અને પાનનો આનંદ માણી શકશે.
મહત્વનું છે કે, નીતા અંબાણીએ તેમને જ ચાટ વાળાને બોલાવ્યો છે જ્યાં તેમણે પહેલા ચાટની મજા માણી હતી.