Wayanad Landslide : મંગળવારે કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (Wayanad Landslide)થી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 173 લોકોના મોત થયા છે, જ્યારે 219 લોકો ઘાયલ છે. આ આંકડો હજુ પણ વધી શકે છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સેનાનું રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
#WATCH | Kerala: Leader of Opposition in Lok Sabha and former Wayanad MP Rahul Gandhi along with party leader Priyanka Gandhi Vadra at the landslide site in Chooralmala, Wayanad.
A landslide occurred here on 30th July claiming the lives of 167 people. pic.twitter.com/MG6VaUZUIW
— ANI (@ANI) August 1, 2024
કોંગ્રેસના નેતાઓ ચુરલમાલામાં ભૂસ્ખલન સ્થળ પર પહોંચ્યા
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડના ચુરલમાલામાં ભૂસ્ખલન સ્થળ પર પહોંચ્યા હતા. તેઓ અહીંની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, જ્યાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનને કારણે સેંકડો લોકોના મોત થયા છે. હજુ પણ ત્યાં સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
રાહુલ-પ્રિયંકા દુર્ઘટનાના પીડિતોને મળ્યા હતા
લોકસભામાં વિપક્ષના નેતા અને વાયનાડના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધી તેમની બહેન અને પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વાયનાડની મેપ્પડી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પહોંચ્યા. બંને નેતાઓ ભૂસ્ખલનના પીડિતોને મળ્યા હતા. વાયનાડમાં 30 જુલાઈએ થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 173થી વધુ લોકોના મોત થયા છે.
#WATCH | Kerala: Leader of Opposition in Lok Sabha and former Wayanad MP Rahul Gandhi along with party leader Priyanka Gandhi Vadra visit A relief camp AT Meppadi Govt Higher Secondary School in Wayanad to meet the survivors of the landslide.
A landslide occurred here on 30th… pic.twitter.com/YJ1vAfVRWl
— ANI (@ANI) August 1, 2024
આ પણ વાંચો : Anshuman Gaekwad : પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડ પંચમહાભૂતમાં વિલીન થયા, કેન્સરની લાંબી માંદગી બાદ થયું નિધન