Wayanad Landslide: કેરળના (kerala) વાયનાડ જિલ્લામાં (Wayanad) મેપ્પડી નજીકના વિવિધ પર્વતીય વિસ્તારોમાં મંગળવારે ભૂસ્ખલનથી (Landslide) ભારે તબાહી સર્જાઈ છે. વાયનાડમાં આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 143 લોકોના મોત થયા છે, જ્યારે 128 લોકો ઘાયલ છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવમાં લાગેલી છે.
વિધાનસભામાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવ્યો
વાયનાડ ભૂસ્ખલનથી 143 લોકો માર્યા ગયા બાદ રાજ્યમાં બે દિવસનો શોક મનાવવા માટે કેરળ વિધાનસભામાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવ્યો છે.
#WATCH तिरुवनंतपुरम, केरल: वायनाड भूस्खलन में 143 लोगों की मौत के बाद राज्य में दो दिवसीय शोक के मद्देनजर केरल विधानसभा में राष्ट्रीय ध्वज आधा झुका हुआ है। pic.twitter.com/Ny02y9Sblr
— ANI_HindiNews (@AHindinews) July 31, 2024
1000 લોકોને બચાવવામાં સફળતા
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી સમગ્ર વિસ્તાર તબાહ થઈ ગયો છે. એજન્સી અનુસાર, એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે કહ્યું કે વાયનાડ જિલ્લામાં બચાવ સેવાઓ માટે તૈનાત સેનાએ અસ્થાયી પુલનો ઉપયોગ કરીને લગભગ 1000 લોકોને બચાવવામાં સફળતા મેળવી. જે જગ્યાએ સેનાએ હંગામી પુલ બનાવ્યો હતો તે જગ્યાએ મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે કાયમી પુલ ધોવાઈ ગયો હતો. અંધારું થઈ રહ્યું હોવાથી બચાવ કામગીરી અટકાવવાનું પણ તેમણે સૂચન કર્યું હતું.
સેનાના 40 જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા
બે જેસીઓ અને સેનાના 40 જવાનો બચાવ કામગીરીમાં લાગેલા છે. એરફોર્સના બે હેલિકોપ્ટર પણ મદદ માટે મોકલવામાં આવ્યા છે. કેરળમાં મંગળવાર અને બુધવારે બે દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.
રાહુલ- પ્રિયંકાની ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત રદ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે સવારે ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની તેમની મુલાકાત મુલતવી રાખી હતી કારણ કે સત્તાવાળાઓએ તેમને જણાવ્યું હતું કે તેઓ સતત વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે ત્યાં ઉતરી શકશે નહીં . કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ વહેલી તકે જિલ્લાની મુલાકાત લેશે.
રાહુલ ગાંધીએ ટ્વિટર પરની એક પોસ્ટમાં કહ્યું કે હું અને પ્રિયંકા કાલે ભૂસ્ખલનથી પ્રભાવિત પરિવારોને મળવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વાયનાડ જઈ રહ્યા છીએ. “જોકે, સતત વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે, અમને અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી છે કે અમે ત્યાં ઉતરાણ કરી શકીશું નહીં,” તેમણે કહ્યું. કેરળની સૌથી ખરાબ કુદરતી આફતો પૈકીની એક, મંગળવારે વાયનાડમાં મુશળધાર વરસાદને કારણે સર્જાયેલા મોટા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 123 લોકો માર્યા ગયા અને 128 ઘાયલ થયા.
Priyanka and I were scheduled to visit Wayanad tomorrow to meet with families affected by the landslide and take stock of the situation.
However, due to incessant rains and adverse weather conditions we have been informed by authorities that we will not be able to land.
I…
— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2024
પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી
તે જ સમયે, પીએમ મોદીએ ભૂસ્ખલનમાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો : Uttar Pradesh વિધાનસભામાં લવ જેહાદ બિલ પાસ, જાણો નવા બિલમાં શું છે જોગવાઈઓ