Wayanad Landslide: કેરળના (kerla) વાયનાડ માં (Wayanad) સતત ભારે વરસાદને (heavy rain) કારણે 29મીએ ત્યાંના 3 ગામોમાં ભયંકર ભૂસ્ખલન (Landslide) થયું હતું. વહેલી સવારે થયેલા ભૂસ્ખલનની જાણ થાય તે પહેલા જ પોતાના ઘરોમાં સૂઈ રહેલા લોકો જમીનમાં દટાઈ ગયા હતા. વાયનાડમાં વિનાશકારી ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે. આ ભયંકર આપત્તિ વચ્ચે, એક સારા સમાચાર પણ પ્રકાશમાં આવ્યા છે જ્યાં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં કેરળના વન અધિકારીઓ દ્વારા 8 કલાકના અથાક ઓપરેશન પછી 6 બાળકોને દૂરના આદિવાસી વસાહતમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
ભૂસ્ખલનથી 340થી વધુ લોકોના મોત,બચાવ કાર્ય હજુ પણ ચાલું
ભૂસ્ખલનની માહિતી મળ્યા બાદ બચાવ ટુકડીઓ, સૈનિકો, વાયુસેના, ફાયર વિભાગ અને અન્ય લોકો ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં દોડી ગયા હતા અને લોકોને બચાવવામાં સક્રિય રીતે રોકાયેલા હતા. ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 340થી વધુ લોકોના મોત થયા છે અને માટીમાં દટાયેલા લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. આના કારણે મૃતકોની સંખ્યામાં વધારો થવાની પણ આશંકા છે. ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પવનથી ચાલતા પૂર આવ્યા હતા અને પુલ અને રસ્તાઓ ધોવાઈ ગયા હતા, જેના કારણે બચાવ કાર્યમાં થોડો વિલંબ થયો હતો. ત્યારબાદ, હંગામી પુલના નિર્માણમાં રોકાયેલા સૈનિકોએ ઝડપથી કામ પૂર્ણ કર્યું અને બચાવ કામગીરીને વેગ આપ્યો.
વન અધિકારીઓએ ચાર બાળકો સહિત છ આદિવાસીઓને વીરતાપૂર્વક બચાવ્યા
આ સ્થિતિમાં વાયનાડમાં ભૂસ્ખલનને કારણે અટ્ટમાલા જંગલમાં ફસાયેલા 4 આદિવાસી બાળકો સહિત 6 લોકોને કેરળ રાજ્યના વન વિભાગના અધિકારીઓએ 8 કલાકની જહેમત બાદ સુરક્ષિત બચાવી લીધા છે. કાલપેટ્ટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે. હાશિસની આગેવાની હેઠળની ચાર સભ્યોની ટીમે ગુરુવારે એક આદિવાસી પરિવારને બચાવવા માટે જંગલની અંદર ખતરનાક રસ્તો પાર કરીને આ બચાવ કામગીરી હાથ ધરી હતી. બચાવી લેવામાં આવેલા બાળકોમાં આદિવાસી સમુદાયના એકથી ચાર વર્ષની વયના ચાર બાળકોનો સમાવેશ થાય છે.
Six precious lives were saved from a remote tribal settlement after a tireless 8-hour operation by our courageous forest officials in landslide-hit Wayanad. Their heroism reminds us that Kerala’s resilience shines brightest in the darkest times. United in hope, we will rebuild… pic.twitter.com/kDXP26UBBS
— Pinarayi Vijayan (@pinarayivijayan) August 2, 2024
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને અધિકારીઓની કરી પ્રશંસા
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સંબંધિત ફોટો તેમના X સાઇટ પેજ પર પોસ્ટ કર્યો અને વન અધિકારીઓની પ્રશંસા કરી. તેમણે આદર સાથે એમ પણ કહ્યું કે કેરળની ખ્યાતિ ફક્ત વાસ્તવિક સુપરહીરોના કારણે જ ચમકે છે જેઓ આવા કપરા સમયમાં પણ જીવ બચાવે છે.
આ પણ વાંચો : ગુજરાતીઓ અતિભારે વરસાદ માટે રહેજો તૈયાર, આટલા જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ