Vadodara : ગુજરાતમાં મૉબ લિંચિંગની(mob lynching) ઘટનામાં વધુ એક ઘટનાનો વધારો થયો છે લોકો કોઈને કોઈ અફવામાં આવીને નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરી એક વાર ટોળાએ નિર્દોષનો ભોગ લીધો છે. વડોદરામાં (Vadodara) છેલ્લા કેટલાક દિવસોથી ચોર આવ્યાની અફવાઓ વહેતી થઈ છે જેના કારણે લોકો ભયમાં છે ત્યારે વડોદરામાં હવે આ ચોર આવ્યાની અફવાહ હવે જીવલેણ સાબિત થઇ રહી છે. જેમાં ગતરાત્રે વારસીયા વિસ્તારમાં ચા પીવા ગયેલા મિત્રોનું બાઇક બગડતા બાઇક રીપેર કરતી વેળાએ ટોળાએ ચોર સમજીને પાછળથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં કપડાં ફાડી નાંખીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો જેના કારણે આ યુવકનું મોત નિપજ્યુ હતુ ત્યારે આ મૃતક યુવકના પરિવારજનો હવે ન્યાય માટે આગળ આવ્યા છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
વડોદરામાં ટોળાએ લીધો નિર્દોષ યુવકનો ભોગ!
વડોદરા શહેરમાં ચોર આવ્યા ચોર આવ્યાની અફવા લાંબા સમયથી ચાલી રહી છે. ત્યારે અફવા લોકોના મનમાં ઘર કરી જતા કેટલાક વિસ્તારોમાં લોકો રાતપાળી કરી રહ્યા છે ત્યારે ટોળા દ્વારા નિર્દોષ લોકોને માર મારવામાં આવી રહ્યો હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે તેવામાં ટોળાએ આ અફવાના કારણે નિર્દોષ યુવકનો ભોગ લીધો હોવીની ઘટના સામે આવી છે, મળતી માહિતી મુજબ ઇક્રમ ઉર્ફે અલી (ઉં. 22) અને શેબાઝ પઠાણ (ઉં. 30) ભંગારની દુકાનમાં નોકરી કરતા હતા. તેઓ કામ પતાવાની રાત્રીના સમયે ચા પીવા માટે ગયા હતા.આ દરમિયાન જુના આરટીઓ પાસે, ઝુલેલાલ મંદિર નજીક રસ્તામાં બાઇક બગડતા તેને ઠીક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આ દરમિયાન ટોળાએ ચોર સમજીને તેમના પર હુમલો કરીને ઢોર માર માર્યો હતો. જેમાં કપડાં ફાટી જતા સુધી બેરહેમીપૂર્વક માર મારવામાં આવતા શેબાઝ પઠાણને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. અને ઇક્રમા ઉર્ફે અલીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
આ સમગ્ર ઘટના મામલે મૃતકના પરિજને મીડિયાને જણાવ્યું કે, અમને એવું જાણવા મળ્યું છે કે, તે લોકો રાત્રે ચા-નાશ્તો કરવા માટે ગયો હતો. તેનું વાહન બગડી ગયું હતું. વાહન ચાલુ કરવા જતા લોકોએ ટોળે વળીને તેને માર માર્યો છે. તેમણે આરોપ મુકતા કહ્યું કે, આ ઘટના સમયે પોલીસ સ્થળ પર હાજર હતી. તેઓ ઇચ્છતા તો તેમને બચાવી શકાયા હોત.જે પણ થયું છે, તેને ખોટું થયું છે. નગ્ન કરીને માર મારવામાં આવવાની ઘટના ખુબ જ દુખદ છે. તેમણે કહ્યું કે, વાયરલ વીડિયોમાં અમે જોયું કે, પોલીસ તે સમયે સ્થળ પર હાજર હતી. પોલીસ અધિકારી બચાવવાનો પ્રયત્ન નથી કરતા. પાછલા મહિનાથી ચોર ચોરની અફવાઓ ચાલી રહી છે. ટોળું નિર્દોષ વ્યક્તિને પકડે એટલે તે ગભરાઇ જ જાય. તેવામાં આવા હાલ તો થવાના જ છે. કંઇ કરવામાં નહીં આવ્યું તો નિર્દોષ લોકો મરતા જ રહેશે. આમ પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ તેવી ચીમકી ઉચ્ચારી છે.
એસએસજી હોસ્પિટલમાં પોલીસનો ખડકલો
ત્યારે બીજી તરફ આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે એસએસજી હોસ્પિટલમાં પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે.
આ પણ વાંચો : Ahmedabada: અસામાજિક તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર, 100થી વધુ લોકોએ ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં કરી તોડફોડ