delhi :ભાજપના (BJP) વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીની (Lal Krishna Advani) તબિયત (health) ફરી એકવાર બગડી છે. બુધવાર એટલે કે 3જી જુલાઈના રોજ જ્યારે તેમની તબિયત બગડી ત્યારે તેમને તાત્કાલિક દિલ્હીની (delhi) એપોલો હોસ્પિટલમાં (apollo hospital) દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા પણ તેમની તબિયત બગડી હતી, જ્યારે તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લાલકૃષ્ણ આડવાણી અપોલો હોસ્પિટલમાં દાખલ
96 વર્ષીય પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની સારવાર અપોલો હોસ્પિટલમાં ડૉ. વિનીત પુરી દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાની હાલત સ્થિર છે. આ સિવાય લાલકૃષ્ણ અડવાણીના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે તેમને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
वरिष्ठ भाजपा नेता लाल कृष्ण आडवाणी को रात 9 बजे डॉ. विनीत सूरी की निगरानी में अपोलो अस्पताल में भर्ती कराया गया। वे निगरानी में हैं और उनकी हालत स्थिर है: अपोलो अस्पताल pic.twitter.com/lJTcYxF6VT
— ANI_HindiNews (@AHindinews) July 3, 2024
27 જૂને પણ તબિયત બગ઼ડી હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા 27 જૂને પણ લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડવાના કારણે તેમને એમ્સમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે બીજા જ દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ વર્ષે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો
તમને જણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણી લાંબા સમયથી ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે તેમના સ્વાસ્થ્યની નિયમિત ઘરે તપાસ કરવામાં આવે છે, તેઓને નિયમિત તપાસ માટે સમયાંતરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. લાલ કૃષ્ણ અડવાણીને 30 માર્ચ 2024ના રોજ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેમને આ સન્માન આપ્યું હતું.
આ પણ વાંચો : Bharuch: ચૂંટણીઓ નજીક આવતા જ ભાજપ ઉંઘમાથી જાગી, આપ પાર્ટીએ ભાજપ પર કર્યા પ્રહાર