Naukaben Prajapati controversial statement : બનાસકાંઠામાં (Banaskantha) પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ (Naukaben Prajapati) વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ જેના કારણે વિવાદ શરુ થયો છે. નૌકાબેન પ્રજાપતિએ અનામતને માથાનો દુખાવો ગણાવ્યું હતું તેમજ તેમણે તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી એમ પણ તેમણે જણાવ્યું હતું. નૌકા પ્રજાપતિનો મોટાં ભાગનો સમાજ OBC અનામતનો લાભ લઈ રહ્યો છે.તેમજ ભાજપ પણ અનામતનું મજબૂત સમર્થન કરે છે ત્યારે તેમના આ નિવેદન પર ભારે વિરોધ થઈ રહ્યો છે. જો કે, હવે નૌકાબેન પ્રજાપતિએ અનામત મુદ્દે આપેલા નિવેદનનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
SC અને OBC ના આગેવાનોએ નૌકાબેન પ્રજાપતિએ વિરુદ્ધ પોલીસને કરી રજૂઆત
મળતી માહિતી મુજબ નૌકાબેન પ્રજાપતિએ અનામત મુદ્દે આપેલા નિવેદનને લઈને અનુસૂચિત જાતિ અને OBC સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ આગેવાનોએ નૌકાબેન પ્રજાપતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે અનુસૂચિત જાતિ અને ઓબીસીના આગેવાનોએ ભાભરના મામલતદારને આવેદપત્ર આપી પોલીસને લેખિત રજૂઆત કરી છે.
SC અને OBC ના આગેવાનોએ નૌકાબેન પ્રજાપતિનું રાજીનામુ માંગ્યું | Nirbhaynews#Reservation #NaukaPrajapati #viralvideo #OBCreservation #naukabenprajapati #Gujarat #OBC #SC #nirbhaynews pic.twitter.com/2oUIOM9Fa8
— Nirbhaynews (@nirbhaynews1) January 29, 2025
નૌકાબેન પ્રજાપતિના ભાજપમાંથી રાજીનામાની માંગ
મહત્વનું છે કે, નૌકાબેન પ્રજાપતિએ અનામત મુદ્દે આપેલા નિવેદન પર માફી માંગી હોવા છતાં ભાભરમાં અનામતનો લાભ લેતા લોકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. લોકો તેમને માફ કરવા તૈયાર નથી. આવેદન પત્રો દ્વારા નૌકાબેન પ્રજાપતિ ભાજપના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે. નૌકાબેન પ્રજાપતિના આ નિવેદનથી તેમને તો નુકસાન થવાનું જ પરંતુ જો આ મામલે ભાજપ પણ કોઈ પગલા નહીં ભરે તો ભાજપને પણ લોકોના રોષનો ભોગ બની શકે છે ત્યારે હવે જોવું રહેશે કે, ભાજપ આ અંગે કોઈ સ્પષ્ટતા કરીને પગલા ભરે છે કે નહીં…