Rupala Controvercy : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વખતે પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)એ ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) પર આપેલ નિવેદનને લઇ ખુબ રોષ જોવા મળ્યો હતો. જે બાદ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાને હરાવવા આંદોલન પણ ચાલ્યું હતું. અંતે ભારે વિરોધ બાદ આંદોલનને સમેટી લેવામાં આવ્યું. પરંતુ તેની આફ્ટર ઇફેક્ટ્સ હજુ પણ જોવા મળી રહી છે. ભાજપ તરફથી કામ કરનાર ભોજપૂતોને હવે સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. તે સમયે ભાજપને સમર્થન આપનાર રાજકોટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં આંતરિક વિખવાદ શરુ થયા બાદ એશોશિએશનના પ્રમુખ દશરથસિંહ વાળાએ રાજીનામુ આપી દીધું છે.
હવે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોશિએશનની ફરી ચૂંટણી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. લોકસભા ચુંટણી વખતે પરસોતમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ પ્રગટયો હતો. આ સમયે પરસોતમ રૂપાલાને રાજકોટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રમુખ તરીકે મે સમર્થન આપ્યું હતું. જેથી અન્ય ક્ષત્રિય આગેવાનો દ્વારા પ્રમુખના પદના નિર્ણયનો વિરોધ કરવામાં આવતા મે રાજીનામું ધરી દીધું છે. જ્યારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓને જ્યારે જરૂર હોય છે ત્યારે ભાજપ પક્ષ હમેશા સાથ આપે છે. મારા માટે પક્ષ મહત્વનો હોવાથી મે પદ છોડી દીધું છે.
હાલ રાજકોટ ડેઈલી સર્વિસ બસ એસોસીએશનના પદે પ્રમુખનું પદ ખાલી થયું છે. ઉપ પ્રમુખ પદે હાનભાઈ હતા. જે અવસાન પામ્યા છે, જેથી તેમનું પદ ખાલી છે, ખજાનચી ભાવેશભાઈ કનેરિયા,સેક્રેટરી સિદ્ધરાજસિંહ ચોહાણ, મંત્રી મુન્નાભાઈએ પણ રાજીનામાં આપ્યા છે. હવે કદાચ ફરીથી નવી ચુંટણી થશે અને નવા હોદેદારો કારોબાર સંભાળશે. પરંતુ આ સમગ્ર આંદોલનની અસર રૂપાલાને તો કંઈ જોવા મળી નહિ અને તે તો ચૂંટણી જીતી પણ ગયા. પરંતુ તેની અસર પછી અન્ય લોકો પર જોવા મળી રહી છે.