Rajkot:સ્વતંત્રતા પર્વની (Independence Da) ઉજવણીના ભાગરૂપે તિરંગાયાત્રાનું (Triranga Yara) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ તિરંગા યાત્રાનો પ્રારંભ રાજકોટના (Rjkot) બહુમાળી ભવન ખાતેથી હર ઘર કરવામા આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા (J.P. Nadda), સી આર પાટીલ, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) જેવા દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિરંગા યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, નાગરિકો જોડાયા હતા. હાથમાં તિરંગા સાથે રાજકોટ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું.
રાજકોટમાં તિરંગાયાત્રાનો પ્રારંભ
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનાં મુખ્ય 4 મહાનગરમાં મોટેપાયે તિરંગાયાત્રા યોજાશે.જે અંતર્ગત આજે રાજકોટ, 11 તારીખે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગાયાત્રા યોજાશે.ત્યારે રાજકોટ શહેરમાં આજથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ આ ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતુ આ સાથે સી આર પાટીલ, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી જેવા દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
आज के दिन हम सरदार वल्लभ भाई पटेल को नहीं भूल सकते।
आजादी के समय यह देश 562 रियासतों में बंटा हुआ था।
उन्हें जोड़ना कोई आसान काम नहीं था।
लेकिन इसी गुजरात की मिट्टी से पैदा हुए भारत के लौहपुरूष सरदार वल्लभ भाई पटेल ने आजादी के 2 साल के अंदर 562 रियासतों को एक साथ जोड़कर ‘मेरा… pic.twitter.com/3lkE57ltXg
— BJP Gujarat (@BJP4Gujarat) August 10, 2024
જે.પી. નડ્ડાએ શું કહ્યું ?
આ દરમિયાન જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, આ ધરતીએ અનેક સંત-મહાત્માઓને જન્મ આપ્યો છે. બધી જ જગ્યાએ તિરંગા જ જોવા મળી રહ્યા છે. આથી આઝાદીનો સમય યાદ આવે છે. આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું બહુ યોગદાન છે. મહાત્મા ગાંધીની ભૂમિને ભૂલી નહીં શકાય. સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યુ હતુ કે, કોંગ્રેસના મિત્રો તમને એક જ પરિવાર યાદ રહે છે, આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સરદાર પટેલ યાદ રહેતા નથી.
આ પણ વાંચો : Israel Gaza War : ગાઝાની શાળા પર ઈઝરાયેલની એર સ્ટ્રાઈક, 100 થી વધુના મોત