Rajkot AAP : રાજકોટમાં AAP દ્વારા ભાજપના કૌભાંડી નેતાઓનો વિરોધ, પોલીસ કમિશનર કચેરીએ આપ્યું આવેદન પત્ર

July 31, 2024

Rajkot AAP : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. મોટાભાગે અત્યારે એવા ગુનાઓ સામે આવે છે. જેમાં ભાજપ નેતાની સંડોવણી હોય. હવે તો ગુજરાતમાં એવું થઇ ગયું છે. કે જો તમારે કાળા કામ કરવા છે, કે ભ્રષ્ટાચાર આચરવો છે તો કેસરિયો ખેસ ધારણ કરી લો. જેથી તમને કોઈ પણ વ્યક્તિ કંઈ જ કરી શકશે નહિ. ગઈકાલે આ મામલે કોંગ્રસ નેતા અમિત ચાવડા (Amit Chavda)એ પણ નિવેદન આપ્યું હતું. જયારે આજે આ મામલે રાજકોટ આમ આદમી પાર્ટી (Rajkot AAP)એ પણ પોલીસ કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું, અને વિરોધ રેલી યોજી હતી.

Rajkot AAP

આમ આદમી પાર્ટી (Rajkot AAP)ના રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં રાજકોટ પોલીસ કમિશનરને આજે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, “ભાજપના પદાધીકારીઓ / હોદેદારો / કાર્યકરો દ્વારા અવાર-નવાર મોટા કૌભાંડો કરવામાં આવી રહયા છે. માસુમ બાળકીઓનો બળાત્કાર (આટકોટ ખાતે), ડ્રગ્સ માફીયાઓ, બુટલેગરો, ખોટા ટોલનાકાઓ, વિવિધ પ્રકારના ભ્રષ્ટાચારો, પેપર ફોડવાના કાંડો, સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે મકાન બનાવીને વેચવા, ગૌચરની જમીન પચાવી પાડવી, સરકારી ખાતાઓમાં કટકી કરવી, સરકારી અનાજને સગેવગે કરવુ, લોકોનું અપહરણ કરી ધાક ધમકી આપી જમીન લખાવી લેવી, ભૂ-માફીયાઓ, ખોટી કોલેજો કાગળો ઉપર ઉભી કરવી, બ્રીજ/ફલાઈઓવરમાં મોટા ભ્રષ્ટાચાર આચારવા, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા દારૂની હેરફેર કરી, ગીર સોમનાથના ડોકટરને આત્મહત્યા કરવા મજબુર કરવો, આવા બધા કાંડો કરવા છતા પણ બીંદાસ ફરતા ભાજપના પદાધીકારીઓ / હોદેદારો / કાર્યકરોને પોલીસ પ્રસાશન શા માટે છાવરી રહયુ છે?”

જયારે આમ આદમી પાર્ટી લોકોની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ જેવી કે શિક્ષણ, મોંઘવારી, આરોગ્ય તેમજ અન્ય સારી સુવિધા મળી રહે તે હેતુથી સતા પક્ષને અવાર-નવાર શાંતિ પૂર્વક, ઘરણા, રેલી કે આવેદન પત્ર દ્વારા લોકોની જરૂરીયાતને વાચા આપવા પ્રયત્નો કરતી હોય ત્યારે એના અવાજને કોના ઈશારે દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ સતાધારી પક્ષનું ખરાબ ન દેખાય તે હેતુથી પોલીસ અમોને કોઈપણ કાર્યક્રમ કરીએ તે પહેલા જ અટકાયત કરી 4-5 કલાક સુધી ડીટેઈન શા માટે કરવામાં આવે છે ? પ્રજા હિતના કામો કરવા શું ગુન્હો છે ? તેમજ ભાજપના પદાધીકારીઓ / હોદેદારો / કાર્યકરો ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા હોવા છતા પણ તેઓને કોઈપણ કાર્યક્રમમાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરતી નથી ઉપરાંત પોલીસ મુખ પ્રક્ષક બનીને જોતી હોય છે. તે યોગ્ય ન કહેવાય ભારતમાં દરેક નાગરીકને સમાન અધિકાર છે. સતાધારી પક્ષસામે પ્રજાલક્ષી પ્રશ્નો માટે વિરોધ કરવો એ વિરોધપક્ષનો અધિકાર છે.

આ પણ વાંચોPragati Ahir : અમદવાદમાં કોંગ્રેસ ઓફિસ પર પથ્થરમારા મામલો, પ્રગતિ આહીરને ગુજરાત હાઈકોર્ટમાંથી મળી રાહત

Read More

Trending Video