Raigad Fort : મહારાષ્ટ્ર (Maharashtra)ના રાયગઢ જિલ્લામાં ગઈકાલે બપોરે 3:30 થી 4 વાગ્યા સુધી મુશળધાર વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, વરસાદ દરમિયાન, છત્રપતિ શિવાજી મહારાજના રાયગઢ કિલ્લા (Raigad Fort)માં કેટલાક પ્રવાસીઓ ખૂબ જ પરેશાન જોવા મળ્યા હતા. આ પ્રવાસીઓ વરસાદ દરમિયાન કિલ્લાની સીડીઓ પર ફસાઈ ગયા હતા. આ સમય દરમિયાન, મુશળધાર વરસાદને કારણે, રાયગઢ કિલ્લાની સીડીઓ પરથી પાણી જોરથી વહેતું જોવા મળ્યું. સીડીઓ પરથી નીચે વહી રહેલા પાણી વચ્ચે પ્રવાસીઓ કોઈક રીતે પોતાની જાતને સંભાળતા જોવા મળ્યા હતા. તેમને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે. અને આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પોલીસના જવાનોએ પર પાડ્યું હતું.
ફસાયેલા પ્રવાસીઓનો વીડિયો સામે આવ્યો
વાસ્તવમાં, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલો આ કિલ્લો પ્રવાસીઓમાં ઘણો પ્રખ્યાત છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. જો કે ગઈકાલે સાંજે અહીં પડેલો વરસાદ પ્રવાસીઓ માટે મુશ્કેલીનો વિષય બન્યો હતો. ઘણા પ્રવાસીઓ અહીં ફરવા આવ્યા હતા. દરમિયાન જોરદાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ દરમિયાન અહીં પ્રવાસીઓ ફસાયા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં કિલ્લાની સીડીઓ પરથી પાણી એક મજબૂત પ્રવાહમાં ઉતરતું જોવા મળે છે. આ દરમિયાન ઘણા પ્રવાસીઓ સીડી પર અટવાઈ ગયા હતા. કોઈક રીતે પ્રવાસીઓ કિનારા પર બનેલી દિવાલની મદદથી પોતાની જાતને સંભાળતા જોવા મળ્યા હતા.
વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત
તમને જણાવી દઈએ કે ગઈકાલથી રાયગઢ સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. તે જ સમયે, મુંબઈ, જેને માયાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. મુંબઈમાં વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. જેના કારણે ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ વરસાદથી રાહત મળી નથી. હવામાન વિભાગે આજે પણ મુંબઈમાં વરસાદ અને હાઈ ટાઈડની ચેતવણી જારી કરી છે.
આ પણ વાંચો : Kutch : કચ્છમાં મીઠાની જમીનના ભ્રષ્ટાચારમાં ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય સાથે દિગ્ગજ નેતાનું શું છે કનેક્શન ?