Rahul Gandhi Bharat Jodo Nyay Yatra : લોકસભાની ચૂંટણી પહેલા એક બાદ એક કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે આજથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાય યાત્રા પર આવી રહ્યા છે આજથી રાહુલ ગાંધી 4 દિવસ ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા યોજશે આ 4 દિવસમાં ન્યાયયાત્રા ગુજરાતના 7 જિલ્લાઓમાંથી તેઓ 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના ધોલપુરથી આજે બપોરે બાંસવાડા આવશે. આ યાત્રામાં ભાગ લેવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ બાંસવાડા પહોંચશે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ યાત્રાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામા આવી છે.
ન્યાયયાત્રા આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાંથી પસાર થશે
આ યાત્રા ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી સહિત આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાંથી પસાર થશે અને ગુજરાતની 26માંથી 14 બેઠકને કવર કરશે. આ ન્યાય યાત્રા દરમ્યાન 6 પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 70 થી વધુ સ્થળો સ્વાગત કરવામાં આવશે.
આજનો કાર્યક્રમ
- આ યાત્રા આજે બપોરે ત્રણ વાગ્યે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી પ્રવેશ કરશે.
- ઝાલોદ ખાતે સાડાત્રણ વાગ્યે રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધન કરશે.
- ઝાલોદથી નીકળીને લીંમડી ખાતે પહોંચશે. રાહુલ ગાંધી અહીં લીંમડી ખાતે રાત્રિરોકાણ કરશે.
8 માર્ચનો કાર્યક્રમ
- આવતી કાલે આ ન્યાયયાત્રા સવારે આઠ વાગે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે.
- દાહોદથી સવારે 10 વાગ્યે લીમખેડા પહોંચશે જ્યાં સ્થાનિક કાર્યકર અને નેતાઓ યાત્રાનું સ્વાગત કરશે. આવતી કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી આ નિમિત્તે કાર્યક્રમ યોજાશે.
- સવારે 11 વાગ્યે ન્યાયયાત્રા પીપલોદ પહોંચશે
- સાડા અગિયાર વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે. અહીં યાત્રાનું સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે.
- બપોરના ભોજન બાદ બે વાગે યાત્રા હાલોલ પહોંચશે.અહીં પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન કરાશે.
- હાલોલથી યાત્રા પાવાગઢ પહોંચશે આ દરમિયાન પાવાગઢ મંદિરે રાહુલ ગાંધી દર્શન કરી શકે છે.
- પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચશે.
- બોડેલી ખાતે ન્યાયયાત્રાનું રાત્રિરોકાણ થશે.
9 માર્ચનો કાર્યક્રમ
- ભારત જોડો ન્યાય યાત્રા 9 માર્ચે સવારે આઠ વાગ્યે બોડેલીથી નસવાડી પહોંચશે અહીં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે.
- ન્યાયયાત્રા રાજપીપળા પહોંચશે, જ્યાં સ્વાગત અને ભોજનનો પ્રોગ્રામ થશે
- રાજપીપળાથી કાલાઘોડા, જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત કરાશે
- આ ન્યાયયાત્રા અહીંથી નેત્રંગ પહોંચશે, જ્યાં અઢી કલાક કોર્નર બેઠક થશે.
10 માર્ચનો કાર્યક્રમ
- 10 માર્ચે સવારે માંડવી ખાતે આ યાત્રાનું આગમન થશે.
- રાહુલ ગાંધી માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે
- બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન થશે.
- ત્યાર બાદ આ ન્યાયયાત્રા બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે.
- વ્યારા ખાતે પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક યોજાશે.
- વ્યારાથી આ યાત્રા સોનગઢ પહોંચશે, જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે.
આ પણ વાંચો : Ahmedabad : દાણીલીમડામાં ફ્લેટમાં ભીષણ આગ, 30 લોકોનું રેસ્ક્યૂ, 1 બાળકનું મોત