Rahul Gandhi : શક્તિસિંહે આપ્યું રાહુલ ગાંધીને ગુજરાત આવવાનું આમંત્રણ, પથ્થરમારની ઘટનાને લઈ કોંગ્રેસ કાર્યકરોને બિરદાવ્યા

July 4, 2024

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ લોકસભામાં હિંદુઓ પરના નિવેદન બાદ દરેક જગ્યાએ તેનો વિરોધ જોવા મળ્યો હતો. બે દિવસ પહેલા ગુજરાત (Gujarat)માં બજરંગ દળ દ્વારા કોંગ્રેસ (Congress) કાર્યાલયમાં ઘૂસીને રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી સ્યાહી લગાડવામાં આવી હતી. પરંતુ આ બધા વચ્ચે અચાનક સાંજે કોંગ્રેસ કાર્યાલય પાસે પથ્થર મારાની ઘટના સામે આવી હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપ (BJP)ના કાર્યકરો આમને સામને જોવા મળ્યા હતા. પરંતુ આજે આ સમગ્ર મામલે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અને જેમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને કોંગ્રેસ કાર્યકર્તાઓને બિરદાવશે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને બિરદાવતા કહ્યું કે પથ્થરમારની ઘટના થઇ છતાં કોઈ કોંગ્રેસના કાર્યકરો ત્યાંથી હલ્યા નહિ અને અડગ રહ્યા. હવે આ સમગ્ર મામલે ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાહુલ ગાંધીના આગમનથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવે તેવું હાલ લાગી રહ્યું છે.

Read More

Trending Video