Rahul Gandhi : રાહુલ ગાંધી 6 જુલાઈએ રાજકોટ અગ્નિકાંડના પીડિતોને મળશે, સાથે જ કાર્યકરોને પણ સંબોધશે

July 5, 2024

Rahul Gandhi :ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) વચ્ચે બનેલી ઘટના બાદ રાજકારણ ગરમાયુ છે. હાલ મળતી માહિતી મુજબ 6 જુલાઈએ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાત આવવાના છે. ગુજરાત આવી પહેલા ગાંધી આશ્રમ જશે. અને ત્યાંથી તેઓ પગપાળા કોંગ્રેસ ભવન પહોંચશે. કોંગ્રેસ ભવન પર તેઓ કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. સાથે જ તેઓ રાજકોટ અગ્નિકાંડ, હરણી તળાવ બોટ દુર્ઘટના, મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના અને સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. સાથે જ જે પરિવાર અમદાવાદ આવશે તેમને પક્ષ દ્વારા અમદાવાદ પણ લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ ધર્મને લઈને કરેલી ટિપ્પણી બાદ ઠેર ઠેર તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ ગુજરાતમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહયું કે 6 જુલાઈએ રાહુલ ગાંધી જયારે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં શું નવાજુની થાય છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચોED Raid : દિલ્હી જળ બોર્ડમાં ભ્રષ્ટાચારનો મામલો, હૈદરાબાદ અને મુંબઈ સહિત 4 શહેરોમાં EDના દરોડા

Read More

Trending Video