Rahul Gandhi in Gujarat : 15 વર્ષ પછી રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલયે આવશે, જાણો કાર્યલય પર કેવો છે માહોલ

July 6, 2024

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ગુજરાત પ્રવાસે (Gujarat Visit) આવવાના છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓને મળશે અને ખાસ સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Incident) સહિતના પીડિત પરિવારોને મળશે. રાહુલ ગાંધીના નિવેદનને પગલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારાની ઘટના બની ત્યારેથી રાજીવ ગાંધી ભવન ચર્ચામાં છે રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે છેલ્લે 2009માં આવ્યા હતા. ત્યાર બાદ 15 વર્ષ પછી આજે રાહુલ ગાંધીપ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.ત્યારે અહીં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સાથે અહીં લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામા આવ્યો છે.

રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલયે આવશે

રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુત્વને લઈને આપેલા નિવેદનનો પગલે ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે RAF અને પોલીસની ટીમ કાર્યાલયની બહાર ગોઠવી દેવામાં આવી છે. તેમજ કોંગ્રેસ કાર્યાલયમાં લિસ્ટમાં લખેલા નામ હોય તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ કાર્યાલયમાં અંદર ના જવા દેતા કાર્યકરો રોષે ભરાયાં હતા.

કોંગ્રેસ કાર્યલયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

રાહુલ ગાંધીની મુલાકાતને લઈને હિન્દુ સમાજને સમાંતર વિરોધ કરવાની અપીલ કરવામાં આવી હોવાના મેસેજ પણ વાઇરલ થયા છે. આ વાયરલ મેસેજમાં મેસેજમાં 11 વાગ્યે વિશ્વહિન્દુ પરિષદના મુખ્યાલયે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કરવા પહોંચવા અપીલ કરાઈ છે. ત્યારે આ મેજેસને પગલે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયથી આશ્રમ રોડ તરફ જતા દરેક રસ્તા ઉપર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. આ સાથે કાર્યકરો હોબાળો ન કરે તેના માટે કાર્યકરોને બહાર નહીં નિકળવા દેવાનો પ્લાન છે. જો કે VHP આગેવાનોનુ કહેવું છે કે, કોંગ્રેસ કાર્યાલય નહીં જવાય પણ પૂતળાં બાળીને વિરોધ કરાશે. પોલીસ પણ અટક કરવા તૈયાર છે.

રાહુલ ગાંધીનો શું છે સમગ્ર કાર્યક્રમ

1:00 વાગ્યે : અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં INC નેતાઓ સાથે બેઠક

1:30 વાગ્યે : પીસીસી કાર્યાલય, કોંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે કોંગ્રેસના કાર્યકરોને સંબોધન

2:00 વાગ્યે : પીસીસી કાર્યાલય, કોંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે પોલીસ કસ્ટડીમાં INC નેતાઓના પરિવારજનો સાથે મુલાકાત

2:30 વાગ્યે : પીસીસી કાર્યાલય, કોંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના, મોરબી બ્રિજ તૂટી, વડોદરા (હરણી બોટ દુર્ઘટના) અને સુરત (તક્ષશિલા આગની ઘટના)ના પીડિતો સાથે બેઠક

આ પણ વાંચો :  Rahul Gandhi in Gujarat : અગ્નિકાંડના પીડિતો રાહુલ ગાંધીને ન મળે તેના માટે ભાજપે કર્યા આ ગતકડા

Read More

Trending Video