PM Narendra Modi એ શનિવારે સાંજે મુંબઈમાં અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટના શુભ આશીર્વાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે નવદંપતિને મળ્યા અને તેમના લગ્ન જીવનની નવી સફર માટે આશીર્વાદ આપ્યા.
આ પહેલા શનિવારે પીએમએ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના સચિવાલય INS ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું.
રાજનેતા ચિરાગ પાસવાન, હેમા માલિની, રવિ કિસન, પવન કલ્યાણ, ચંદ્રબાબુ નાયડુ અને ઘણા આધ્યાત્મિક નેતાઓ પણ આશીર્વાદ સમારોહમાં હાજર છે.
મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આશીર્વાદ સમારોહ યોજાઈ રહ્યો છે.