નાયબ સિંહ સૈની આજે સીએમ પદના શપથ લેશે, શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી રહેશે હાજર, મંત્રી પદ માટે આ નામોની ચર્ચા

October 17, 2024

Haryana New CM Oath Ceremony: નાયબ સિંહ સૈની (Naib Singh Saini) આજે ફરી હરિયાણાનો (Haryana ) હવાલો સંભાળશે. તેઓ પંચકુલાના દશેરા ગ્રાઉન્ડમાં રાજ્યના 25માં સીએમ તરીકે શપથ લેશે. જો કે આ પદ સંભાળનાર તેઓ 11મા વ્યક્તિ હશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 37 વિશેષ મહેમાનો હાજર રહેશે. તેમાં વીસ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ છે. સૈની સાથે 10 થી 12 મંત્રીઓ શપથ લઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા તેઓ 25,562 નોકરીઓના પરિણામો જાહેર કરશે.

નાયબ સિંહ સૈની આજે સીએમ પદના શપથ લેશે

બુધવારે વિધાનસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક ગૃહ પ્રધાન અમિત શાહ અને મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવની હાજરીમાં ધારાસભ્ય કૃષ્ણકુમાર બેદીએ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અનિલ વિજે તેને મંજૂરી આપી હતી. તમામ ધારાસભ્યોએ અવાજ મત દ્વારા સૈનીના નામને મંજૂરી આપી હતી. આ પછી સૈનીએ રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો. સૈનીએ તેમને 48 ધારાસભ્યોની યાદી સોંપી. ત્રણ અપક્ષ ધારાસભ્યો સાવિત્રી જિંદાલ, રાજેશ જુન અને દેવેન્દ્ર કડિયાને પણ ભાજપ સરકારને સમર્થન કરતો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો હતો.

આ મહાનુંભાવો રહેશે હાજર

નાયબ સૈની ગુરુવારે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે કેટલાક અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. સેક્ટર-5ના શાલીમાર ગ્રાઉન્ડ ખાતે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સમારોહમાં વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઘણા કેન્દ્રીય કેબિનેટ પ્રધાનો, મુખ્ય પ્રધાનો, પ્રધાનો અને વિવિધ રાજ્યોના નેતાઓ હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે જ શહેર પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વીવીઆઈપી ગુરુવારે પહોંચશે. આને ધ્યાનમાં રાખીને ચંદીગઢ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે.

અમુક રસ્તાઓ કરાયા બંધ

VVIP મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને, ટ્રાફિક પોલીસે બુધવારથી જ ચંદીગઢ અને પંચકુલાના ઘણા રસ્તાઓ બંધ કરી દીધા હતા અને રૂટ ડાયવર્ઝન કર્યા હતા. જેના કારણે વાહનોની ગતિ થંભી ગઈ હતી. કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. ગુરુવારે પણ ચંદીગઢ-પંચકુલાના ઘણા રસ્તાઓ સવારે 9 થી 8.15 વાગ્યા સુધી બંધ રહેશે. આવી સ્થિતિમાં ચંદીગઢ અને પંચકુલા તરફ જતા લોકોએ ટ્રાફિક જોઈને જ પોતાના ઘરની બહાર નીકળવું જોઈએ, નહીં તો તેઓ ટ્રાફિક જામમાં ફસાઈ શકે છે.

આ પણ વાંચો : Ahmedabad: દિવાળી વેકેશનને લઈ મોટી જાહેરાત, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું રહેશે વેકેશન

Read More

Trending Video