Manish doshi : રાજકોટ TRP ગેમઝોન (TRP Game Zone Fire)માં 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થયા હતા. જે કેસમાં TPO સાગઠીયા (Mansukh Sagathiya)ને પકડવામાં આવ્યો છે તેની પૂછપરછમાં અનેક નવા ખુલાસા થયા છે. ત્યારે TPO સાગઠીયાના કાળી કમાણીનો વધુ એક પિટારો ખુલ્યો છે જેને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી (Manish Doshi)એ સાગઠીયા અને ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટાચારને લઇ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપને લીધું આડે હાથ
રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠીયાના નામે કોંગ્રેસે ભાજપના નેતાઓને આડે હાથ લીધા છે. કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશી (Manish Doshi) દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. અગ્નિકાંડ ભાજપના શાસકોના ભ્રષ્ટાચારના પાપે ઊભો થયેલો હત્યાકાંડ છે. 10 વર્ષ સુધી સાગઠીયા પર ભાજપના શાસકોનો હાથ રહ્યો છે.
વધુમાં મનીષ દોશીએ જણાવ્યું કે, દરેક વિભાગમાં આવા સાગઠીયા બીજેપીએ ઊભા કર્યા છે. 10 વર્ષ સુધી સાગઠીયાને બચાવનાર ભાજપના નેતાઓ કોણ છે? તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. જે કામમાં ટકાવારી નક્કી થાય તો એ ટકાવારી લેનાર બીજેપીના નેતાઓ કોણ ? સેવા સદન કે જે બીજેપી માટે મેવા સદન છે એમાં ઘણા સાગઠીયા છે. તમામ વિભાગોમાં આવા સાગઠીયાઓ પર સકંજો કસી ગુજરાત અને ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળવી જોઈએ. હવે કોઈ નવું કાંડ ન થાય તે માટે દરેક વિભાગોમાં આવા સાગઠીયાઓ છે તેમના પર કાર્યવાહી થવી જ જોઈએ.
સાગઠીયાને લઇ શું થયા નવા ખુલાસા ?
રાજકોટ TRP ગેમ ઝોનમાં આરોપી પૂર્વ TPO મનસુખ સાગઠીયાની તપાસમાં અનેક નવ ખુલાસા થઇ રહ્યા છે. આ કેસમાં વિવિધ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સાગઠીયા સામે ACBમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જે તપાસમાં સાગઠીયાની ઓફિસ જે સીલ કરેલી હતી તે સીલ ખોલવામાં આવ્યો હતો. ત્યારે તેની ઓફિસમાંથી ૫ કરોડ રોકડ અને ૧૫ કિલો સોનુ મળી આવ્યું હતું. આ તપાસ રાજકોટ ACB દ્વારા કરવામાં આવી રહી છે. હજી સાગઠીયા કેટલાક લોકરની પણ તપાસ કરવાની બાકી છે. તે લોકર ખોલવાં આવેશે ત્યારે હજી અનેક ખુલાસા થાય તો કોઈ નવાઈ નહિ.
આ પણ વાંચો : Rahul Gandhi : રાહુલ ગાંધીને મોટો ફટકો, નિવેદનના આ ભાગો સંસદની કાર્યવાહીમાંથી હટાવ્યા