Mallikarjun Kharge એ ગુજરાતીઓ પરના નિવેદન મામલે માંગી માફી, ભાજપે કહ્યું જયારે નિવેદન આપ્યું ત્યારે માફી કેમ ના માંગી ?

April 8, 2026

Mallikarjun Kharge : ગુજરાતનું રાજકારણ તાજેતરમાં મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદન પછી ગરમાયું છે. ખડગેએ 5 એપ્રિલે કેરળના ઈડુક્કીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં લોકોને “મૂર્ખ” બનાવી શકે છે, જ્યારે કેરળના લોકો “ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત” છે. તેમના આ નિવેદનને ગુજરાતીઓ માટે અપમાનજનક ગણવામાં આવ્યું.

ખડગેની માફી અને સ્પષ્ટતા

વિવાદ વધતા ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે તાજેતરમાં કેરળમાં આપેલા ચૂંટણી ભાષણમાં આપેલા કેટલાક નિવેદનોને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં, હું જવાબદારીપૂર્વક મારો અફસોસ વ્યક્ત કરું છું. મને હંમેશા ગુજરાતના લોકો માટે સૌથી વધુ આદર રહ્યો છે અને હંમેશા રહેશે. તેમની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય ઈરાદો નહોતો.

ભાજપની પ્રતિક્રિયા

ભારતીય જનતા પાર્ટીએ ખડગેના નિવેદનને ગુજરાતીઓની અસ્મિતા સાથે જોડીને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. રાજ્યના મુખ્ય નેતાઓએ કહ્યું કે આ નિવેદન માત્ર કોંગ્રેસના પ્રચાર માટે છે અને ગુજરાતના લોકોનો અપમાન કરવાનું ઉદ્દેશ હતું. ગુજરાતમાં કેટલાક શહેરોમાં આ નિવેદન વિરોધમાં નારાબાજી અને ચક્કાજામ સુધી પહોંચ્યું, જે રાજકીય તણાવ વધારનારું બન્યું.

આ પહેલા પણ થયા હતા વિવાદ

આ પહેલાં ખડગેના કેટલાક નિવેદનો પણ વિવાદિત રહ્યા છે. ઉદાહરણ તરીકે, આસામમાં ભાજપ અને આરએસએસને “ઝેરીલા નાગ” ગણાવવાની ટીકા થઈ હતી. આથી, તેમની ભાષણશૈલીને કેટલીકવાર પૂર્વગ્રાહી અને વિવાદજનક ગણવામાં આવે છે.

નિવેદનથી રાજકીય ગરમાવો

આ નિવેદન માત્ર ભાષણ પૂરતું નહોતું; તે હવે ગુજરાતમાં રાજકીય ટકરાવ અને ચૂંટણીમાં પોષણ માટે મહત્વનું બની ગયું છે. જ્યારે ખડગે નિર્દેશ કરે છે કે કોઈને અપમાન કરવાનો ઉદ્દેશ નહોતો, ત્યારે પક્ષો તેને પ્રચાર અને રાજકીય રણનીતિ માટે વાપરે છે. ગુજરાતમાં આ મુદ્દો આગામી ચૂંટણીમાં અલગ રાજકીય અભિપ્રાય અને નારાજગી માટે મહત્વ ધરાવે છે.

આ પણ વાંચોBanaskantha ના ઓગડપુરામાં વિકાસ મુદ્દે ઉગ્ર વિરોધ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહિષ્કારનો બહિષ્કારની ચીમકી

Read More

Trending Video