India-Maldives: ભારત વિરોધી નિવેદનો આપવા માટે જાણિતા માલદીવના રાષ્ટ્રપતિના બદલાયા સૂર, ભારત સાથે સારા સબંધોની કરી વાત

October 7, 2024

Maldives President India Visit:  ભારત અને માલદીવ (India-Maldives) વચ્ચેના સંબંધોમાં સતત તણાવ છે. જો કે, બંને દેશો હવે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દિલ્હીને ‘મૂલ્યવાન ભાગીદાર અને મિત્ર’ તરીકે જોઈ રહ્યા છે અને સંરક્ષણ સહિતના ઘણા ક્ષેત્રોમાં સહયોગ ‘હંમેશા પ્રાથમિકતા’ રહેશે. રહી છે. આ ક્રમમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની મુલાકાતે છે. આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત છે. રવિવારે નવી દિલ્હીમાં પગ મૂકતાની સાથે જ તેણે કહ્યું હતું કે માલદીવ ક્યારેય એવું કંઈ કરશે નહીં જેનાથી ભારતની સુરક્ષા જોખમાય.

માલદીવના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચાર દિવસીય ભારતની મુલાકાતે છે. રવિવારે દિલ્હી પહોંચ્યા બાદ તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યાં હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પીએમ નરેન્દ્ર મોદી ને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂનું રાષ્ટ્રપતિ ભવનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારત સાથેના સબંધોને લઈને કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતા પહેલા રાષ્ટ્રપતિ મુઈઝુએ ચીન સાથે માલદીવના વધતા સંબંધો અંગે ભારતની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે માલદીવ અન્ય દેશો સાથે સહયોગ વધારી રહ્યું છે, પરંતુ તે સુનિશ્ચિત કરે છે કે તેના કોઈપણ પગલાથી ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતાને નુકસાન ન પહોંચે.રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત માલદીવનો મહત્વપૂર્ણ મિત્ર છે. બંને દેશો વચ્ચેના સંબંધો પરસ્પર આદર અને સામાન્ય હિતો પર આધારિત છે. માલદીવ ભારત સાથે મજબૂત અને વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખશે અને પ્રાદેશિક સ્થિરતા સુનિશ્ચિત કરવા સાથે મળીને કામ કરશે. ‘માલદીવ્સ ફર્સ્ટ’ નીતિ હેઠળ તેમનો દેશ ભારત સાથેના લાંબા સમયથી ચાલતા અને વિશ્વાસપાત્ર સંબંધોને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે.તેમણે કહ્યું, ‘અમને વિશ્વાસ છે કે અન્ય દેશો સાથેના અમારા સંબંધો ભારતના સુરક્ષા હિતોને નબળા નહીં પાડે. માલદીવ ભારત સાથે મજબૂત અને વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખશે.

તેમણે વધુમાં કહ્યું કે માલદીવ અને ભારત હવે એકબીજાની ચિંતાઓને વધુ સારી રીતે સમજે છે અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ હંમેશા પ્રાથમિકતા રહેશે. જો કે, તેણે માલદીવમાંથી ભારતીય સૈનિકોને પાછા મોકલવાનો બચાવ કરતા કહ્યું કે તે સ્થાનિક લોકોની ઇચ્છા હતી. તેમણે કહ્યું કે તાજેતરની ઘટનાઓ દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક પ્રગતિ દર્શાવે છે. તેમની પ્રથમ રાજ્ય મુલાકાતના અંત સુધીમાં તે સ્પષ્ટ થઈ જશે કે માલદીવ સહકારી અને પરસ્પર લાભદાયી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

ભારતીય પ્રવાસીઓને પરત ફરવાની કરી અપીલ

ભારતીય પ્રવાસીઓને માલદીવ પાછા ફરવાનું આહ્વાન કરતાં તેમણે કહ્યું કે, પાડોશીઓ અને મિત્રોનું સન્માન આપણા લોહીમાં છે. ભારતીય પ્રવાસીઓનું સ્વાગત છે.

આ પણ વાંચો :  Meghalayaમાં વરસાદને કારણે તબાહી, અત્યાર સુધીમાં 10 લોકોના મોત

Read More

Trending Video