MadhyaPradesh Wall Collapsed : મધ્યપ્રદેશના સાગરમાં રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં મંદિર પાસેની દિવાલ ધરાશાયી (MadhyaPradesh Wall Collapsed) થતાં લગભગ 9 બાળકોના મોત થયા હતા. મૃતકની ઉંમર 9 થી 19 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. ચાર બાળકો ઘાયલ છે અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના રાહલી વિધાનસભાના સનૌધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શાહપુરના હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.
બાળકો શિવલિંગ બનાવી રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો
સવારે 10 વાગ્યાના સુમારે પાર્થિવ શિવલિંગ નિર્માણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રવિવારની રજા હોવાથી બાળકો પણ શિવલિંગ બનાવવા પહોંચ્યા હતા. જે જગ્યાએ બાળકો બેસીને શિવલિંગ બનાવી રહ્યા હતા તે સ્થળે મંદિર સંકુલની બાજુની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં કેટલાક બાળકો દટાયા હતા. જેસીબીથી કાટમાળ હટાવીને મૃતદેહો અને ઘાયલ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દિવાલ લગભગ 50 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ રાહલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ પણ શાહપુર પહોંચી ગયા હતા.
કલેક્ટર દીપક આર્યએ જણાવ્યું કે, બાળકો સ્થળ પર બનાવેલા ટેન્ટમાં રમતા હતા. ત્યારે અચાનક મંદિર પરિસરની બાજુમાં આવેલી દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસ પ્રશાસને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ કેટલાક વધુ બાળકો રસ્તામાં જ મૃત્યુ પામ્યા, જ્યારે કેટલાક હોસ્પિટલ પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા. કુલ 9 બાળકોના મોત થયા છે.
સીએમ મોહન યાદવે મદદની જાહેરાત કરી
સીએમ મોહન યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ઘાયલ બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. મૃત બાળકોના આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના. હું અકસ્માતમાં ઘાયલ અન્ય બાળકોના ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. માસૂમ બાળકોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. મૃતક બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.
आज सागर जिले के शाहपुर में हुई अतिवृष्टि के कारण जर्जर मकान की दीवार गिरने से 9 मासूम बच्चों के काल कवलित होने की खबर सुनकर मन व्यथित है। घायल बच्चों के उचित इलाज के लिए जिला प्रशासन को निर्देशित किया है।
भगवान से करबद्ध प्रार्थना है कि दिवंगत बच्चों की आत्मा को शांति प्रदान…
— Dr Mohan Yadav (@DrMohanYadav51) August 4, 2024
આ પણ વાંચો : Jignesh Mevani : કચ્છમાં કોંગ્રેસની પ્રેસમાં દલિત મહિલા અધિકારીનું અપમાન, હવે જાતિવાદ પર ગરમાયુ રાજકારણ