Madhavi Raje Scindia Passed Away:કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજેનું નિધન, જાણો માધવી રાજે વિશે

May 15, 2024

Madhavi Raje Scindia Passed Away: મધ્યપ્રદેશના (Madhyparadesh) ગ્વાલિયરથી (Gwalior) ખરાબ સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની (Jyotiraditya Scindia) માતાનું નિધન થયું છે. જ્યોતિરાદિત્યની માતા માધવી રાજે સિંધિયા (Madhavi Raje) છેલ્લા 3 મહિનાથી દિલ્હીની AIIMSમાં દાખલ હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજેનું નિધન

મળતી માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયા (70 વર્ષ) એ સવારે 9:30 વાગ્યે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા. તે લાંબા સમયથી બીમાર હતી. છેલ્લા 3 મહિનાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેને સેપ્સિસ સાથે ન્યુમોનિયા હતો. તે છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આવતીકાલે સવારે 11 વાગ્યે ગ્વાલિયરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જાણો માધવી રાજે વિશે

માધવી રાજે સિંધિયાના નિધનથી શોકનું મોજુ ફરી વળ્યું છે. માધવી રાજે સિંધિયા નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધિત હતા. માધવી રાજે સિંધિયાના દાદા જુડ શમશેર બહાદુર નેપાળના વડાપ્રધાન હતા. માધવી રાજેએ શિક્ષણ અને તબીબી સંભાળ જેવા કાર્યોમાં ઘણું યોગદાન આપ્યું છે. 8 મે, 1966 ના રોજ, તેણીના લગ્ન ગ્વાલિયરના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મહારાજ માધવરાવ સિંધિયા સાથે થયા હતા. તેમના લગ્નની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી. માધવી રાજેને લોકો પ્રેમથી રાજમાતા કહેતા.

મુખ્યમંત્રી મોહને શ્રદ્ધાંજલિ આપી હતી

માધવી રાજે સિંધિયાના નિધન પર શોક વ્યક્ત કરતા, મુખ્ય પ્રધાન મોહન યાદવે Instagram પર લખ્યું, “ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાનના માતા,  માધવી રાજે સિંધિયાના નિધનના હૃદયદ્રાવક સમાચાર પ્રાપ્ત થયા. જ્યોતિરાદિત્ય સિંધિયા જીનું અવસાન અપૂર્વીય ખોટ છે, દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાથના.

કમલનાથે શોક વ્યક્ત કર્યો હતો

માધવી રાજે સિંધિયાના નિધન પર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે શોક વ્યક્ત કર્યો છે. કમલનાથે X પર લખ્યું, “સ્વર્ગીય માધવ રાવ સિંધિયાના પત્ની અને  જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ અને પીડાદાયક છે.

હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તે દિવંગત આત્માને શાંતિ આપે અને સિંધિયા પરિવારને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. “ભાવભીની શ્રદ્ધાંજલિ”

આ પણ વાંચો :  નાફેડની ચુંટણીને લઈને મોટા સમાચાર, નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારીયા બિનહરીફ થશે !

Read More

Trending Video