પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ buddhadeb bhattacharjeeનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

August 8, 2024

buddhadeb bhattacharjee: બુદ્ધદેવ ભટ્ટાચારજી બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ ડાબેરી નેતા બુદ્ધદેવ ભટ્ટાચારજીનું ગુરૂવારે નિધન થયું છે. 80 વર્ષની વયે, તેમણે કોલકાતામાં તેમના નિવાસસ્થાને સવારે 8.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ કે તેમને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઈ રહી હતી. CPI(M) નેતા 2000 થી 2011 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા.

તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેના કારણે તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમના પુત્ર સુચેતન ભટ્ટાચાર્યએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.

દસ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા

બંગાળમાં ડાબેરી મોરચાના 34 વર્ષના શાસન દરમિયાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સીપીએમના બીજા અને છેલ્લા મુખ્ય પ્રધાન હતા. CPI(M) નેતા 2000 થી 2011 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. ભટ્ટાચાર્યએ 2015માં સીપીઆઈ(એમ)ની પોલિટબ્યુરો અને સેન્ટ્રલ કમિટિમાંથી રાજીનામું આપ્યું હતું અને 2018માં પાર્ટીના રાજ્ય સચિવાલયનું સભ્યપદ પણ છોડી દીધું હતું. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ બંગાળના પૂર્વ સીએમના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સોશિયલ મીડિયા હેન્ડલ પર લોકો પોસ્ટ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: માત્ર 45 મિનિટ મળી, sheikh hasina કપડાં પણ લાવી ન શક્યા, ગાઝિયાબાદમાં બહેન સાથે કરી ખરીદી

Read More

Trending Video