Khodaldham : ગુજરાતમાં કોઈ પણ મોટા રાજકીય નિર્ણય લેવામાં આવે તો તેમાં ખોડલધામનું ખુબ જ મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્રના કાગવડ ખાતે આવેલી ખોડલધામ સંસ્થા એ લેઉવા પાટીદારોનો ગઢ છે. અને આજે ખોડલધામ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીશ્રીઓનું વિશેષ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે. જ્યાં સંસ્થાના ચેરમેન નરેશ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ આ કાર્યક્રમમાં લેઉવા પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. સાથે જ આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, વિવિધ કન્વીનરો અને તેમની ટીમ, રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સોશિયલ ગ્રુપના સભ્યો સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજરી આપવા પહોંચ્યા છે.
Khodaldham ના મંચ પર નરેશ પટેલે CM ભૂપેન્દ્ર પટેલનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત | Nirbhaynews #Khodaldham #kagvad #kagvaddham #bhupendrapatel #nareshpatel #CM #Nirbhaynews pic.twitter.com/1CuPJTmKFe
— Nirbhaynews (@nirbhaynews1) December 7, 2025
ખોડલધામ દ્વારા આ લોકોનું સન્માન કરવામાં આવ્યું
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા, રાજ્ય સરકારના નવનિયુક્ત લેઉવા પટેલ સમાજના મંત્રીઓ જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, કમલેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Goa માં નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ, 25 લોકોના મોતમાંથી 14 લોકો સ્ટાફના