Kedarnath Temple in Delhi: કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આરોપથી ખળભળાટ

July 15, 2024

Kedarnath Temple:દિલ્હીના (Delhi)બુરારીમાં કેદારનાથ મંદિરના (Kedarnath Temple) નિર્માણને લઈને દેશના અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હવે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે (Swami Avimukteshwaranand)  આને લઈને મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કેદારનાથમાં સોનાનું (gold ) કૌભાંડ થયું છે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી?

કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ

તેમણે કહ્યું, “કેદારનાથમાંથી 228 કિલો સોનું ગુમ થયું છે. આજ સુધી તેના પર કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. આના માટે કોણ જવાબદાર છે? હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેદારનાથ દિલ્હીમાં જ બનશે, આવું ન થઈ શકે.”

દિલ્હીમાં કેદારનાથ મંદિરના નિર્માણ મામલે આપી તીખી પ્રતિક્રિયા

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે આજ સુધી આ મામલે કોઈ તપાસ કરવામાં આવી નથી. તેના માટે કોણ જવાબદાર છે. તેમણે દિલ્હીમાં કેદારનાથ ધામ જેવા મંદિરના નિર્માણના પ્રશ્ન પર પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે બાર જ્યોતિર્લિંગની વ્યાખ્યા અને નિયમો છે. તેથી કેદારનાથ ધામ ક્યાંય બનાવી શકાય નહીં.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે રવિવારે (14 જુલાઈ 2024) દિલ્હીમાં કેદારનાથ મંદિરના નિર્માણને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું હતું કે, રાજધાની દિલ્હીમાં કેદારનાથ ધામના નામે મંદિર બનાવવાની જરૂર કેમ છે. તેણે તેને કેદારનાથ ધામની ગરિમા અને મહત્વ ઘટાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

પીએમ મોદી પર પૂછેલા પ્રશ્નનો શું આપ્યો જવાબ

પીએમ મોદી પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે, “તે મારી પાસે આવ્યા અને આશીર્વાદ લીધા. અમારા નિયમો પ્રમાણે અમે તેમને આશીર્વાદ આપ્યા. નરેન્દ્ર મોદી અમારા દુશ્મન નથી. અમે તેમના શુભચિંતક છીએ, હંમેશા તેમનું કલ્યાણ ઈચ્છીએ છીએ. જ્યારે તે કોઈ ભૂલ કરે છે, હા, અમે તેના વિશે વાત કરીશું.”

તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ શનિવારે (13 જુલાઈ, 2024)ના રોજ આયોજિત શુભ આશીર્વાદ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર પહોંચ્યા હતા. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પણ ત્યાં હાજર હતા. અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા બાદ પીએમ મોદી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાસે ગયા અને તેમના આશીર્વાદ લીધા.

આ પણ વાંચો :  નીતિનભાઈ જાણે છે કે ભાજપામાં તેઓ કોરાણે મૂકાયા છે, નવા લોકોને મંત્રી અને સાહેબ કહેવા પડે : મનીષ દોશી

Read More

Trending Video