Jignesh Mevani : રાજકોટમાં જીગ્નેશ મેવાણી આવ્યા નાના વેપારીઓની વહારે, સરકારની નિર્લજ્જતા સામે કરશે લોકો સાથે ગાંધીનગર કૂચ

June 27, 2024

Jignesh Mevani : રાજકોટમાં પાથરણાવાળા અને ગુજરી બજારના લારી ગલ્લાઓ બંધ કરાવવા RMC એ નોટિસ પાઠવી છે. જેને લઈને આજે કોંગ્રેસ (Congress) અધ્યક્ષ જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતા. જેમાં આ લારી ગલ્લાવાળા અને પાથરણવાળા પણ જોડાયા હતા. આ મામલે જીગ્નેશ મેવાણીએ રાજકોટ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

લેન્ડ ગ્રેબિંગ એકટને લઇ આજે જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) ખુબ લાલઘૂમ થયા હતા. જેને લઈને તેમણે તંત્ર અને સરકાર પર આકાર પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે ભાજપના નેતાઓ અને મંત્રીઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે હતું કે, સામાન્ય ધંધો કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા લારી ગલ્લાવાળાઓને તમે જગ્યા ખાલી કરવાની નોટિસો આપો છો. જયારે તેમને આ દેશનું બંધારણ પણ કામ કરવાનો અધિકાર આપે છે. અને બીજી તરફ ભાજપના એ નેતાઓ છે જે જમીન સંપાદન કરી લે છે. શા માટે એ નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

વધુમાં તેમણે રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર પ્રહારો કર્યા હતા. અને કહ્યું કે, સરકાર એટલી નિર્લજ્જ થઇ ગઈ છે કે તે વિરોધ પક્ષ, અગ્નિકાંડના પીડિત પરિવારો હોય કે પછી વેપારીઓ હોય કોઈનું સંભળાતી નથી. અમે આગામી દિવસોમાં રાજકોટ અગ્નિકાંડના પીડિતો, સુરત તક્ષશિલાકાંડના પીડિતો અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ મળીને ગાંધીનગર કૂચ કરીશું. અને આ દરેક બાબતોનો વિરોધ કરીશું.

હવે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) રાજકોટમાં એક્ટિવ થયા છે. રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ તેઓ સતત પીડિતોના પરિવારો સાથે સંપર્કમાં છે. અને ન્યાયની લડત લડી રહ્યા છે. સૌરાષ્ટ્રની આ બેઠક અત્યારે ભલે ભાજપ જીતી ગયું હોય, પરંતુ રાજકોટના સાંસદ હોય કે ધારાસભ્ય કે ભાજપના કોઈ પણ નેતા હાલ આ મામલે કંઈ જ કરી રહ્યા નથી. એક પણ વ્યક્તિ જયારે પીડિતોને મદદ નથી કરી રહ્યા ત્યારે જીગ્નેશ મેવાણી અત્યારે તેમની માટે સતત લડત આપી રહ્યા છે. આગામી સમયમાં પણ તેનાથી મોટી લડત આપવાની તૈયારીઓ પણ તેમણે દાખવી છે.

આ પણ વાંચોGujarat Rain Forecast : રાજ્યના આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, બાકીના કેટલાક જિલ્લાઓમાં પણ એલર્ટ અપાયું

Read More

Trending Video