Jasdan Rape Case : જસદણ દુષ્કર્મ કેસનું સત્ય શું ? ક્યા ભાજપ નેતાની આ મામલામાં છે સંડોવણી ?

July 26, 2024

Jasdan Rape Case : દેશમાં એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાતો અને બીજી તરફ દેશમાં દર મિનિટે વધતો દુષ્કર્મનો આંકડો….આપણા દેશની સાચી પરિસ્થિતિ આપણી સામે ઉભી કરે છે. ગઈકાલે રાજકોટના જસદણમાંથી એક દુષ્કર્મ (Jasdan Rape Case)ની ઘટના સામે આવી છે. આ ઘટનાના તાર ભાજપ (BJP Gujarat) નેતા સુધી કેવી રીતે પહોંચ્યા અને તેમાં તેનો કેટલો હાથ અને સાથે જ આ સમગ્ર મામલો એક દુષ્કર્મની ઘટના સુધી સીમિત છે કે પછી કોઈ મોટો કાંડ છે તે જોઈએ…

જસદણમાં ગઈકાલે એક કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આ છોકરીને સૌ પ્રથમ આપણે દાદ આપવી પડે કે તે સામે આવી અને આવી ઘટનાઓ પર બોલી છે. હવે વાત એવી છે કે આ છોકરી જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (D B Patel Education Trust) સંચાલિત કન્યા છાત્રાલય (Girls Hostel)માં રહેતી હતી. પરંતુ ગયા વર્ષે આ વિદ્યાર્થિનીનો BCAનો અભ્યાસ પૂર્ણ થઇ ગયો હતો. આ વિદ્યાર્થીની છાત્રાલયમાં રહીને છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ કરી રહી હતી. પરંતુ આ દીકરીને નહિ ખબર હોય કે તે જ્યાં વિદ્યા મેળવવા જાય છે ત્યાં તો શારીરિક શોષણનો ધંધો ચાલી રહ્યો છે.

છાત્રાલયમાં ભણતી આ વિદ્યાર્થિની સાથે છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મ (Jasdan Rape Case) આચરવામાં આવતું હતું. પરંતુ તે ડરને કારણે અત્યાર સુધી કશું બોલી નહિ. પરંતુ જયારે આ વાત વધી ત્યારે તેણે હિમ્મત દાખવી અને પોલીસ ફરિયાદ દાખલ કરાવી. આ ફરિયાદ તેણે એ જ છાત્રાલયના ટ્રસ્ટીઓ સામે કરી છે જે લોકો સમાજ સેવાના નામે આવા છાત્રાલય ચલાવતા હતા. આ ફરિયાદમાં ટ્રસ્ટી અરજણ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી, અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયાનું નામ લખાવવામાં આવ્યું છે.

સમાજ સેવાના નામે ગોરખધંધા

અત્યારે દેશમાં દરેક જગ્યાએ સમાજ સેવકો ફૂટી રહ્યા છે. પરંતુ મોટાભાગે સમાજસેવાના નામે માત્ર કાળા કામો જ કરવામાં આવતા હોય છે. આવી જ ઘટના જસદણથી સામે આવી જેમાં સમાજ સેવકોએ પોતાની છાત્રાલયમાં જ એક વિદ્યાર્થિની સાથે છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ (Jasdan Rape Case) આચરી રહ્યા છે. આ ઘટનામાં પોલીસ પણ આ ભાજપ આગેવાનો કમ સામાજિક સેવકોને છવરી રહી હતી. આ વિદ્યાર્થીનીની ફરિયાદ 15 દિવસ સુધી નોંધવામાં આવી નહિ. આ ટ્રસ્ટીઓ ભાજપ સાથે જોડાયેલા છે. પરંતુ આખરે છોકરીના વકીલ આ મામલે વચ્ચે પડ્યા અને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ અને ઘટના સામે આવી.

છાત્રાલયને સેક્સ રેકેટનો અડ્ડો બનાવ્યો

પરંતુ અહીં એક પ્રશ્ન એ ઉભો થાય કે શું આ એક જ વિદ્યાર્થીની છે જેની સાથે આ દુષ્કર્મ (Jasdan Rape Case)ની ઘટના બની છે ? કારણ કે આ તો કન્યા છાત્રાલય છે આટલી બધી છોકરીઓ ભણે છે અને એક જ છોકરી સાથે દુષ્કર્મની ઘટના ગાલે ઉતરે તેવી વાત તો નથી. અહીં કન્યા છાત્રાલયના નામે ગોરખધંધાઓ ચાલતા રહે છે. જેમાં આ ઘટના માત્ર એક છોકરીએ સામે લાવી છે. પરંતુ અહીં બળજબરીપૂર્વક શારીરિક શોષણ કરવામાં આવતું અને કહી શકાય કે ખુબ મોટું સેક્સ રેકેટ ચાલતું જેનો શિકાર આ વિદ્યાર્થીનીઓ બની છે. બીજી કોઈ વિદ્યાર્થીની હજુ બહાર આવી નથી. પરંતુ ટૂંક સમયમાં આ મામલે વધુ મોટા ખુલાસાઓ થશે.

આ મામલે પ્રશ્ન એ થાય છે કે, શું માત્ર આ કાંડમાં જેના નામ બહાર આવ્યા તેઓ જ સામેલ છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલાની શરૂઆત રૂડા ભગત નામના વ્યક્તિથી થઇ હતી. અને જેણે છાત્રાલયને નેતાઓ માટે તેમની હવસ સંતોષવાનો અડ્ડો બનાવ્યો હતો ? આ સાથે જ હવે આ વ્યક્તિ ક્યાં છે તે પણ જાણવું ખુબ જરૂરી બન્યું છે. કારણ કે જે નામો સામે આવ્યા તે તો આ ઘટનામાં સામેલ છે જ પરંતુ જો આ રૂડા ભગત અને અન્ય આરોપીઓ આ ઘટનામાં પકડાય જાય તો ઘણા મોટા ભાજપ નેતાઓના નામ આ ઘટનામાં ખુલે તો નવાઈ નહિ હોય.

આ ઘટનાના તાર પહોંચ્યા ભાજપ નેતા સુધી

જયારે વિદ્યાર્થિનીએ આ મામલે વાત કરી ત્યારે તેને કહ્યું કે, જૂન 2023માં મધુ ટાઢાણીએ મને વોટ્સએપ કોલ કરીને કહ્યું હતું કે ‘તું આજે કોલેજે જતી નહિ, રૂમ પર જ રહેજે…જ્યાં તેની સાથે મધુ ટાઢાણી અને પરેશ રાદડિયાએ દુષ્કર્મ આચર્યું હતું. થોડા દિવસો પછી છાત્રાલયની કેટલીક વિદ્યાર્થિનીઓને પોતે રેકટર હોવાથી આટકોટ પાસે આવેલી ભાજપના પ્રદેક્ષ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની કે.ડી.પી. હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગઈ હતી.

ભરત બોઘરાની હોસ્પિટલમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું . હવે વાત એવી છે કે ભરત બોઘરાની હોસ્પિટલ વિષે નજીકના લોકોથી વધારે તો કોઈ જાણી શકશે નહિ. ક્યાં CCTV છે અને ક્યાં નહિ…તો આ પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી બોઘરા સાહેબની હોસ્પિટલમાં દુષ્કર્મ આચરે છે અને સાહેબ સમગ્ર મામલાથી અજાણ છે. અને શું આ પ્રકારની ઘટના ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને તેના સ્ટાફના લોકો વગર શક્ય છે ખરી ?

બસ આ બધાની વચ્ચે સવાલ માત્ર એક જ છે કે શું આ દુષ્કર્મ પીડિત દીકરીને આપણા દેશમાં ન્યાય મળશે ખરા ? કારણ કે ભાજપ કનેક્શન ધરાવતા કોઈ વ્યક્તિને સજા થતી નથી અને ગમે તે રીતે તેને બચાવી લેવામાં આવે છે. તો શું આ કેસમાં પણ એવું જ થશે કે કોઈ મોટા ખુલાસાઓ થશે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચોKargil Vijay Diwas : કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યા કારગિલ, પાકિસ્તાનને આપી ચેતવણી 

Read More

Trending Video