Italy : ઈટાલી (Italy)માં મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની પ્રતિમાને નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, પ્રતિમાનું અનાવરણ થયાના થોડા કલાકો બાદ જ ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા તેની તોડફોડ કરવામાં આવી હતી. આ શરમજનક કૃત્ય કરનારાઓએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને લઈને કેટલાક વિવાદાસ્પદ સૂત્રો પણ લખ્યા હતા.
પીએમ મોદી ઈટાલી જઈ રહ્યા છે
ઘટના બાદ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે રેકોર્ડ સમયમાં વિસ્તારને સાફ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટના ઈટાલીમાં યોજાનારી G-7 સમિટના થોડા દિવસ પહેલા બની છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. આ 50મી જી-7 સમિટનું આયોજન 14 જૂનથી થવાનું છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર પીએમ મોદી બુધવારે ઈટાલીના અપુલિયા પહોંચશે.
આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
આગની આ ઘટના અંગે વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે ભારતીય અધિકારીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડફોડની ઘટનાને ઇટાલિયન સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવી છે. આ મામલે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. ક્વાત્રાએ કહ્યું કે દોષિતો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને ભારતીયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Kuwait Fire : કુવૈતમાં ભારતીયો માટેના લેબર કેમ્પમાં અગ્નિકાંડ, ભીષણ આગમાં 40ના મોત, 30 ઘાયલ