BJP On Marathi Anamat: ભારતીય જનતા પાર્ટી (BJP) ના વિધાન પરિષદના સભ્ય (ધારાસભ્ય) પરિણય ફુકેએ બુધવારે જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ સરકારે મંત્રીમંડળના તમામ સભ્યોને વિશ્વાસમાં લીધા પછી જ મરાઠા અનામત અંગે સરકારી આદેશ જારી કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે કોઈ પણ OBC નેતા આનાથી નારાજ નથી. ફુકેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ સરકારી આદેશ સામે કોઈ કોર્ટમાં જશે નહીં. આ દરમિયાન તેમણે એવો પણ દાવો કર્યો હતો કે હાલના અન્ય પછાત વર્ગો (OBC) ક્વોટાને મરાઠા અનામતથી અસર થશે નહીં.
આ પહેલા મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક સરકારી આદેશ જારી કર્યો હતો અને એક સમિતિની રચનાની જાહેરાત કરી હતી. આ દ્વારા મરાઠા સમુદાયના લોકોને તેમના કુણબી વારસાના ઐતિહાસિક પુરાવા રજૂ કરીને કુણબી જાતિ પ્રમાણપત્રો જારી કરવામાં આવશે. આ બાબતે પત્રકારો સાથે વાત કરતા ફુકેએ કહ્યું “મને નથી લાગતું કે કોઈ પણ જારી કરાયેલા સરકારી આદેશ સામે કોર્ટમાં જશે.”
રાજ્યમંત્રી અને ઓબીસી નેતા છગન ભુજબળ નવા આદેશથી નારાજ છે કે કેમ તે પૂછવામાં આવતા ફુકેએ કહ્યું “ભુજબળ તેમના વિભાગ સંબંધિત મુદ્દાઓ અથવા કોઈ વ્યક્તિગત કારણોસર નારાજ હોઈ શકે છે. તેમણે આજે યોજાનારી કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરવા પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ કર્યા નથી.” તેમણે વધુમાં દાવો કર્યો “કોઈ પણ ઓબીસી નેતા નવા આદેશથી નારાજ નથી. ભુજબળને મંત્રાલય સંબંધિત કેટલાક મુદ્દાઓ અથવા કોઈ વ્યક્તિગત કારણો હોઈ શકે છે.”
અગાઉ એનસીપી ક્વોટાના મંત્રી અને વરિષ્ઠ ઓબીસી નેતા છગન ભુજબળે કહ્યું છે કે તેમને સરકાર તરફથી આવા નિર્ણયની અપેક્ષા નહોતી. મંગળવારે તેમણે કેબિનેટ બેઠકનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધો છે. છગન ભુજબળ ઓબીસી ક્વોટામાં મરાઠાઓ માટે અનામતનો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે તેમણે કહ્યું હતું કે તેઓ સરકાર દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવની તપાસ કરી રહ્યા છે.
નોંધનીય છે કે મરાઠા કાર્યકર મનોજ જરંગે લાંબા સમયથી મરાઠાઓને કુણબી તરીકે માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે. કુણબી રાજ્યનો એક પરંપરાગત ખેડૂત સમુદાય છે અને તેમને નોકરીઓ અને શિક્ષણમાં સરકારી અનામત માટે લાયક બનાવવા માટે રાજ્યમાં ઓબીસી શ્રેણીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. છગન ભુજબળના વિરોધ પર જરાંગેએ કહ્યું છે કે કેટલાક લોકો સમુદાયને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે જો સરકારી આદેશમાં કોઈ ભૂલ હશે તો સરકારે ખાતરી આપી છે કે જરૂર પડ્યે તેના પર કામ આપવામાં આવશે.
આ પણ વાંચો: ફરી હચમચી ગયું Pakistan, હુમલાખોરે પોતાને ઉડાવી રેલીમાં ગયેલા 14 લોકોના લીધા જીવ