India Pakistan Conflicts : ભારત-પાકિસ્તાન તણાવ ચરમસીમાએ, જાણો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું ?

May 9, 2025

India Pakistan Conflicts : ઓપરેશન સિંદૂર પછી, ગભરાયેલા પાકિસ્તાને ભારતના તમામ સરહદી રાજ્યોમાં મિસાઇલો અને ડ્રોનથી હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. દરમિયાન, સરકારે આવા ઘણા રાજ્યોમાં બ્લેકઆઉટનો આદેશ આપ્યો છે, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ક્યાં અને કઈ જગ્યાએ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવી રહ્યો છે તેની માહિતી આપી રહ્યા છે. તેઓ તેમના શહેરો વિશે માહિતી શેર કરી રહ્યા છે જે સુરક્ષા તૈયારીઓ માટે ગંભીર ખતરો બની શકે છે.

આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે સોશિયલ મીડિયાના આ યુગમાં, તણાવપૂર્ણ પરિસ્થિતિમાં શું શેર કરવું જોઈએ અને કઈ માહિતી સોશિયલ મીડિયા પર આપવાનું ટાળવું જોઈએ.

જાણો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં શું ન કરવું….

તમે જે શહેર અથવા સ્થાન પર રહો છો તેના બ્લેકઆઉટની માહિતી કે વિડીયો સોશિયલ મીડિયા પર શેર ન કરો
– જો તમે તમારા શહેર કે વિસ્તારમાંથી કોઈ સૈન્ય વાહન પસાર થતું જુઓ, તો તેનું વીડિયોગ્રાફી ન કરો
– યુદ્ધ સાથે જોડાયેલી ઘણી જૂની તસવીરો સોશિયલ મીડિયા પર હાલના સમયની હોવાનો દાવો કરીને ફરતી થઈ રહી છે. આનાથી બચો અને અફવાઓ પર ધ્યાન ન આપો.
– બિનજરૂરી રીતે ભીડવાળી જગ્યાએ ન જાઓ; જો જરૂરી ન હોય તો ઘરની અંદર રહો.
– ખોટી માહિતી પર પ્રતિક્રિયા ન આપો, ગભરાટ કે ગુસ્સામાં આવીને કોઈ ગેરકાયદેસર પગલું ન ભરો.
– સુરક્ષા દળોના કામમાં દખલ ન કરો; તેમની સૂચનાઓનો આદર કરો.

જાણો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું

– સરકારી માર્ગદર્શિકાનું પાલન કરો, સરકાર, સેના અથવા સ્થાનિક પ્રશાસન જેવા વિશ્વાસપાત્ર સ્ત્રોત પર ભરોસો મુકો
– સલામત સ્થળો ઓળખો અને ઘર કે વિસ્તારમાં બંકર કે મજબૂત બાંધકામો ધરાવતા સલામત વિસ્તારો ઓળખો
– અફવાઓથી દૂર રહો અને સામાજિક સૌહાર્દ જાળવી રાખો
– વૃદ્ધો, બાળકો અને અપંગ લોકોને પ્રાથમિકતા આપો અને જરૂર પડે તો તેમને મદદ કરો
– જરૂરિયાતની વસ્તુઓ ટોર્ચ, ખાવા પીવાનો સમાન, દવાઓ એટલે કે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ ઘરમાં રાખો

આ પણ વાંચોIndia Pak War : ભારત પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ, ગુજરાતમાં ગાંધીનગરમાં ઇમર્જન્સી બેઠક બોલાવાઇ

Read More

Trending Video