Chhotaudepur :ગુજરાતમા (Gujarat) તાજેતરમાં શાળા પ્રવોત્સવનો (School entrance festival) કાર્યક્રમ કરીને બાળકોને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ રાજ્યમાં શિક્ષણની વ્યવસ્થાની (Education system) કથળતી સ્થિતિ સુધરતી જ નથી. રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં (Tribal areas) આવેલી શાળાઓમાં બાળકોને શિક્ષણ (Education) તો સારુ મળત નથી પરંતુ બાળકો પાસે શાળાની સાફ સફાઈ (cleaning) કરાવવામાં આવે છે ત્યારે સરકારની શિક્ષણ વ્વસ્થાની પોલ ખોલતો વધ એક કિસ્સો છોટા ઉદેપુરમાંથી સામે આવ્યો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રા.શાળાના માસૂમ વિધાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતાનો વિડિયો વાયરલ થયો છે.
માસૂમ વિધાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતાનો વિડિયો વાયરલ
જાણકારી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં આવેલી પ્રા.શાળાના માસૂમ વિધાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતાનો વિડિયો વાયરલ થયો છે. પ્રાથમિક તપાસમાં નસવાડી તાલુકાના હમીરપુરા પ્રા.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આ વિડિયો હોવાનું જાણવા મળ્યું છે.આ વિડિયો જાગ્રુત નાગરિકે વાયરલ કર્યો હોવાનો અનુમાન છે.
વિડિયો વાયરલ થતાં ઉઠ્યા સવાલો
આ વિડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.આદિવાસી માસૂમ વિધાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય ?આદિવાસી માસૂમ વિધાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે?આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય ભીનું સંકેલવામાં આવશે ?
શિક્ષક સામે યોગ્ય કાર્યવાહીની માંગ
આવા અનેક વાર વિડિયો વાયરલ થતાં હોય છે પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં જ શિક્ષકો માસુબ વિધાર્થીઓ પાસે કામ કરાવે છે આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
શું રાજ્ય સરકારને આદિવાસી બાળકોના ભણતરી કોઈ ચિંતા નથી ?
આ અગાઉ પણ એનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં પાયાની સુવિધાઓ પણ નથી શું રાજ્ય સરકારને આદિવાસી બાળકોના ભણતરી કોઈ ચિંતા નથી. આવી બેદકારી આદિવાસી વિસ્તારોમાં કેમ રાખવામા આવે છે ? આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા રાજ્ય સરકારની શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કરે છે.