IC 814 Controversy : IC 814 પરના વિવાદ બાદ Netflix ઝૂક્યું ! ‘ધ કંધાર હાઇજેક’માં મોટા ફેરફારો માટે OTT પ્લેટફોર્મ તૈયાર

September 3, 2024

IC 814 Controversy : Netflix ની તાજેતરની શ્રેણી ‘IC 814 : The Kandahar Hijack’ જ્યારથી તેને OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી છે ત્યારથી તે વિવાદ સર્જી રહી છે. વિજય વર્મા, નસીરુદ્દીન શાહ, પંકજ ત્રિપાઠી, દિયા મિર્ઝા, અરવિંદ સ્વામી અને પત્રલેખા અભિનીત વેબ સિરીઝના નિર્માતાઓ પર શ્રેણીમાં આતંકવાદીઓના નામ અને તથ્યો સાથે ચેડા કરવાનો આરોપ છે. નિર્માતાઓ પર સીરીઝમાં આતંકવાદીઓને માનવીય બતાવવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે. આ શ્રેણી 29 ઓગસ્ટના રોજ Netflix પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં આતંકવાદીઓ ભોલા અને શંકરના નામ આપવાનો વિવાદ વધુ ગરમાયો હતો.

મોનિકા શેરગીલ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય સમક્ષ હાજર થઈ હતી

આ વધી રહેલા હોબાળા વચ્ચે સોમવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઈન્ડિયાના વડાને સમન્સ જારી કરીને હાજર થવા જણાવ્યું હતું. જે બાદ Netflix ઈન્ડિયાની હેડ મોનિકા શેરગિલ મંત્રાલય સમક્ષ હાજર થઈ અને આ સમગ્ર મામલે મોટો નિર્ણય લીધો. Netflix India “IC814: The Kandahar Hijack” માં ફેરફાર માટે તૈયાર છે.

શ્રેણીમાં આ મોટો ફેરફાર કરવામાં આવ્યો

નેટફ્લિક્સ ઈન્ડિયાએ કહ્યું છે કે આતંકવાદીઓના કોડ નેમના વિવાદને કારણે હવે શ્રેણીની શરૂઆતમાં એક ડિસ્ક્લેમર આપવામાં આવશે. નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ મોનિકા શેરગીલે જણાવ્યું હતું કે, “ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 814 ના 1999ના હાઇજેકીંગથી અજાણ દર્શકો માટે, પ્રારંભિક ડિસ્ક્લેમર સાથે હાઇજેકર્સના વાસ્તવિક અને કોડ નામો શામેલ કરવા માટે શ્રેણીને અપડેટ કરવામાં આવી છે.”

નેટફ્લિક્સ ઈન્ડિયાના વડાએ શું કહ્યું?

તેમણે તેમના નિવેદનમાં આગળ કહ્યું, “શ્રેણીમાંના કોડ નામો વાસ્તવિક ઘટના દરમિયાન ઉપયોગમાં લેવાતા કોડને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં વાર્તા કહેવાની સમૃદ્ધ સંસ્કૃતિ છે – અને અમે આ વાર્તાઓ અને તેમની અધિકૃત રજૂઆત માટે પ્રતિબદ્ધ છીએ.” શેરગીલનું આ નિવેદન દિલ્હીમાં માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુ સાથેની મુલાકાત બાદ આવ્યું છે.

હિંદુ કોડ નામોને લઈને હોબાળો થયો હતો

તમને જણાવી દઈએ કે, મંત્રાલયે સોમવારે Netflix ઈન્ડિયાને શ્રેણીમાં હાઈજેકર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા હિન્દુ કોડ નામો અને તેમાંથી કેટલાકને માનવ દેખાવ આપવા સહિત વિવિધ મુદ્દાઓ પર સમન્સ પાઠવ્યું હતું. અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત અને વિજય વર્મા, પત્રલેખા, પંકજ કપૂર, નસીરુદ્દીન શાહ, અરવિંદ સ્વામી, દિયા મિર્ઝા જેવી સ્ટાર કલાકારો અભિનીત, આ શ્રેણી ડિસેમ્બર 1999ના હાઇજેકની સત્ય ઘટના પર આધારિત છે.

આ પણ વાંચોKolkata Doctor Death : સંદીપ ઘોષના 8 દિવસના રિમાન્ડ મંજુર, અન્ય ત્રણ આરોપીઓને પણ રિમાન્ડમાં મોકલાયા

Read More

Trending Video