Rajkot: ગુજરાતમાં માર્ગ અકસ્માતના (accident) વધતા જતાં કેસ અને તેનાથી થતાં મૃત્યુના આંકડા ખુબ જ ચિંતાજનક છે.ગત વર્ષે અમદાવાદના ઈસ્કોન બ્રિજ ( Ahmedabad iskcon Bridge) પર નબીરા તથ્ય પટેલે (Tathya Patel ) બેફામ કાર હંકાવીને 9 નિર્દોષ લોકોનો જીવ લીધો હતો. જે બાદ ગુજરાતમાં છાસવારે આવી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જ વધુ એક બનાવ રાજકોટમાંથી (Rajkot) સામે આવ્યો છે. જેમાં એક નબીરાએ બેફામ રીતે કાર હંકારીને એક વૃદ્ધાને અડફેટે લીધા હતા અને વૃદ્ધાને 4 કિલોમીટર સુધી ઢસડ્યા હતા જેના કારણે વૃદ્ધાનું મોત થયું હતું. ત્યારે નબીરો અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો છે.
રાજકોટમાં તથ્યકાંડ જેવા અકસ્માતની ઘટના
રાજકોટમાં તથ્યકાંડ જેવા અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના કણકોટ રોડ પર બેફામ સ્પીડે એક અર્ટીગા કારે રોડની સાઇડમાં પુત્ર સાથે ચાલી રહેલા એક વૃદ્ધાને અડફેટે લીધી હતી. ત્યારે અકસ્માત બાદ કાર ઉભી રાખવાના બદલે કાર ચાલક 4 કિ.મી. સુધી વૃદ્ધાને ઢસડીને લઇ ગયો હતો. આ બનાવ સમયે હાજર પુત્ર કારની પાછળ દોડ્યો હતો પરંતુ કાર ચાલકે ઉભી રાખી ન હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારનો પીછો કર્યો હતો. પરંતુ નબીરો હાથમાં આવ્યો ન હતો અને 4 કિ.મી. દૂર વિજ્યાબેનનો મૃતદેહ પડેલો મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ પહોંચી હતી.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર કાર ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે.
નબીરાના કારણે માનસિક અસ્થિર દીકરાએ ગુમાવી માતા
જાણકારી મુજબ આ વૃદ્ધાનુ નામ વિજ્યાબેન છે તેઓ કચરો વીણવાનું કામ કરતાં હતા. તેમજ તેમનો દીકરો પણ માનસિક અસ્થિર છે. ત્યારે આ નબીરાને કારણે માનસિક અસ્થિર દીકરાએ માતા ગુમાવી છે. ત્યારે આ ગાડીચાલક નબીરો કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે.તેમજ ક્યાં સુધી આવા નબીરાને કારણે નિર્દોષ લોકો ભોગ બનતા રહેશે ? આ રફતારના રાજાઓ પર ક્યારે બ્રેક લાગશે ?
આ પણ વાંચો : Arvind Kejriwal Bail : અરવિંદ કેજરીવાલને જામીન મળવાની ખુશીમાં જૂનાગઢ ખાતે AAP પાર્ટીએ કરી ઉજવણી