ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બોર્ડર પર હાઈએલર્ટના આદેશ, અર્ધસૈનિક દળના DG સાથે Amit Shahએ કરી ચર્ચા

May 8, 2025

Amit Shah: ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બોર્ડર પર હાઈએલર્ટના આદેશ આપ્યા છે. અર્ધસૈનિક દળના DG સાથે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વાતચીત કરવામાં આવી છે. હુમલા વચ્ચે BSF, CISF, CRPFના DG સાથે વાતચીત કરી છે. આંતરિક અને દેશની સુરક્ષા સંદર્ભે અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકાર તરફથી મોટો આદેશ આપવામાં આવ્યો છે. ભારત સરકારે ૮૦૦૦ ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે.નોંધનીય છે કે, ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાની સેના પરેશાન છે. પાકિસ્તાન દ્વારા ભારતના જમ્મુ અને કાશ્મીરમાં અનેક મિસાઇલો છોડવામાં આવી હતી. રાજસ્થાનના જેસલમેરમાં પણ ડ્રોન હુમલાના સમાચાર છે. પરંતુ ભારતીય સંરક્ષણ પ્રણાલીએ આકાશમાં જ પાકિસ્તાની મિસાઇલોને તોડી પાડી. પરિસ્થિતિ જોતાં, આજે દેશના ઘણા શહેરોમાં સંપૂર્ણ અંધારપટ છે. જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના સરહદી જિલ્લાઓમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અંધારપટ રહે છે.

આ પણ વાંચો: Pakistan પર હુમલા વચ્ચે ભારતની મોટી કાર્યવાહી, ભારતમાં 8 હજારથી વધુ X એકાઉન્ટ બંધ કરવા આદેશ

Read More

Trending Video