Hathras News: સત્સંગમાં નાસભાગ દરમિયાન 40 લોકોના મોત, 100 થી વધુ ઘાયલ, જાણો વિગતો

July 2, 2024

Hathras News:ઉત્તર પ્રદેશના (UttarPradesh) હાથરસમાંથી (Hathras)મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગ દરમિયાન મોટી દુર્ઘટના થઈ છે. અહીં સત્સંગ સાંભળવા આવેલા લોકોમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. જેમાં 40 લોકોના મોત થયા છે અને 100 થી વધું લોકો ઘાયલ થયા છે.

યુપીના હાથરસમાંમોટી દુર્ઘટના

પ્રાપ્ત જાણકારી મુજબ હાથરસના રતિભાનપુરમાં ભગવાન શિવના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પુરો થતાની સાથે જ નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા.આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ લોકોમાં ફફડાટ ફેલાયો છે. મોટી સંખ્યામાં ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતમાં મોટા ભાગે બાળકો અને મહિલાઓ સામેલ

આ ઘટનામાં મૃત્યુ પામનારા અને ઘાયલ થનારા લોકોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે. મહિલા અને બાળકોને એટા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.અહેવાલો અનુસાર, કુલ 15 મહિલાઓ અને બાળકોને એટાહ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. વધુ લોકોના મોત થવાની આશંકા છે.

આ પણ વાંચો : Morbi: મોટી દુર્ઘટના ટળી! વિદ્યાર્થીઓ પસાર થતા હતા ત્યારે જ પુલ તૂટ્યો

Read More

Trending Video