Haryana Election Result 2024:હરિયાણાના પરિણામો અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું ?

October 9, 2024

Haryana Election Result 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો (Haryana assembly elections results) આવતાની સાથે જ કોંગ્રેસની (congress) રણનીતિ પર સવાલો ઉઠવા લાગ્યા છે. હરિયાણાની હાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.ચૂંટણીના પરિણામો બાદથી રાહુલ ગાંધી ગાયબ હતા ન તો તેમણે કોઈ નિવેદન આપ્યું કે ન તો તેણે સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કર્યું.હવે, હરિયાણામાં પરિણામના લગભગ 24 કલાક પછી, રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. આજે તેમણે પોતાનું મૌન તોડ્યું અને હરિયાણાના પરિણામોને અણધાર્યા ગણાવ્યા અને કહ્યું કે તેઓ અધિકારો, સામાજિક-આર્થિક ન્યાય અને સત્ય માટે સંઘર્ષ ચાલુ રાખશે.

હરિયાણામાં હાર્યા બાદ રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા આવી સામે

રાહુલ ગાંધીએ હરિયાણાના પરિણામો અંગે પોસ્ટમાં જણાવ્યં છે કે, તેઓ હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છે. તેમણે પરિણામો માટે સિસ્ટમના દુરુપયોગની કથાનું પુનરાવર્તન પણ કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી પંચને અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે જાણ કરશે.રાહુલ ગાંધીએ સૌપ્રથમ જમ્મુ અને કાશ્મીર વિશે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર – રાજ્યમાં ભારતની જીત એ બંધારણની જીત છે, લોકશાહી સ્વાભિમાનની જીત છે.” હરિયાણાની જીત વિશે લખ્યું, “અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચને જાણ કરશે. હરિયાણાના તમામ લોકોનો તેમના સમર્થન માટે અને અમારા બબ્બર શેર કાર્યકરોનો તેમના અથાક કાર્ય માટે હૃદયપૂર્વક આભાર. અમે અધિકારો માટે, સામાજિક અને આર્થિક ન્યાય માટે, સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું અને તમારો અવાજ ઉઠાવતા રહીશું.

હરિયાણામાં કોંગ્રેસની હાર પાછળનું કારણ શું ?

હરિયાણામાં મતદાન બાદ પરિણામો પહેલા એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી જીતી રહી છે. પરંતુ જ્યારે પરિણામ કંઈક અલગ જ આવ્યા. કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસની હાર પાછળનું મુખ્ય કારણ પાર્ટીમાં રહેલી જૂથવાદ છે. તે જ સમયે, બેઠકોની વહેંચણીમાં અનિયમિતતા પણ એક કારણ હતું. કોંગ્રેસની કાસ્ટ ફેક્ટરની ગણતરીમાં થયેલી ભૂલને પણ હારનું કારણ માનવામાં આવી રહ્યું છે.

ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળી ?

વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો જીતીને ભાજપ સત્તા જાળવી રાખવા અને સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે. જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે. ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) એ બે બેઠકો જીતી હતી, જ્યારે અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી. જનનાયક જનતા પાર્ટી (JJP) અને AAP બંનેને ચૂંટણીમાં કોઈ સફળતા મળી નથી. ભાજપ અને કોંગ્રેસની મત ટકાવારી લગભગ સમાન હતી. ભાજપને 39.94 ટકા વોટ મળ્યા જ્યારે કોંગ્રેસને 39.09 ટકા વોટ મળ્યા.

આ પણ વાંચો :  વડોદરાની સગીરા સાથે હેવાનિયત ભર્યું કૃત્ય કરનારા આરોપીઓને લાગ્યો જનતાનો ડર, કોર્ટમાં આજીજી કરતા આરોપીએ કહ્યું- “સાહેબ મુજે જેલ મેં ડાલો, યે લોગ માર ડાલેંગે “

Read More

Trending Video