Gujarat Weather: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી વરસાથી (Rain) માહોલ જોવા મળી રહ્યો હતો. જો કે પ્રિ મોન્સુન એક્ટીવિટીના (Pre Monsoon Activity) કારણે આ વરસાદ વરસી રહ્યો હતો . જો કે હવે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઈ ગયુ છે. આ વખતે ચાર દિવસ વહેલું ચોમાસુ બેસ્યુ છે. ત્યારે આ ચોમાસાનું સૌથી પહેલા ક્યાં વિસ્તારોને ઘમરોળશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami) આગાહી (forecast) કરી છે.
ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, આજે એટલે કે, 11 જુનથી ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. આમ જોઈએ તો આ વર્ષો ચોમાસુ તેના નિયત સમય કરતા વહેલુ ચાલી રહ્યુ છે. 19 મેં 2024 ના રોજ નૈઋત્યનું ચોમાસુ આંદબાન નિકોબાર ટાપુ પર નોંધાયું હતુ તે બાદ 1 જુનના રોજ ચોમાસુ કેરળમાં આવવું જોઈએ પરંતુ તેના બદલે 29 મેના રોજ મોડી રાત્રે કેરળમાં ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો હતો . આમ આંદબાર નિકોબાર ટાપુ પર પણ ચોમાસુ વહેલુ આવ્યુ તેમજ કેરળમાં સમય કરતા વહેલો ચોમાસાનો પ્રવેશ થયો હતો. તે પછી મહારાષ્ટ્ર્ના મુબઈમાં પણ સમય કરતા વહેલું પ્રવેશ્યુ હતું. આજે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરી ચુક્યુ છે. ચોમાસાએ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોને કવર કર્યા છે અને જે સૈરાષ્ટ્ર્ના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયામાં આ ચોમાસુ છે એટલે કે વેરાવળથી પણ ખુબ નજીક છે.
આ વિસ્તારોમાં થઈ કરશે પ્રવેશ
વધુમા પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, 11 જુનના રોજ મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી, જુનાગઢ, ગિરસોમનાથ સહિતના વિસાતરોમાં પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોઈએ તો ગુજરાતમાં ચોમાસુ 15 જુને આવતુ હોય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ તેના સમય કરતા 4 દિવસ વહેલા પ્રવેશ કર્યો છે. જો કે આ નવાઈની વાત ન કહી શકાય ભુતકાળમાં પણ આવું અનેક વખત બન્યુ છે.
આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
આજથી ગુજરાતમાંનૈઋત્યના ચોમાસાની વિધિવત રીતે શરુઆત થઈ છે. આજે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે અને સૌરાષ્ટ્રમા પણ મોડી રાત સુધીમાં વિસ્તારોને કવર કરશે. તે પછી ધીમે ધીમે આગળ વધશે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને કરશે. એટલે કે જુન મહિનો પુરો થાય તે પહેલા જ ચોમાસુ તમામ વિસ્તારોને કવર કરી લેશે તેવી શક્યતા છે. ચોમાસાની આજથી શરુઆત થઈ ચૂકી છે. ત્યારે આવનારા દિવસોમાં ચોમાસુ ખુબ સારુ રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : NEET UG 2024: NEET વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ ફટકારી, કાઉન્સિલિંગ પર રોક લગાવાવનો કર્યો ઈન્કાર