Gujarat Rain : ગુજરાતમાં સતત મુશળધાર વરસાદને કારણે ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 135.26 મીટરે પહોંચી છે, જેના કારણે ડેમના 23 દરવાજા ખોલીને 3,95, 853 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. વહીવટી તંત્રએ ભરૂચ, વડોદરા અને નર્મદા નદીના બંને કિનારે આવેલા નર્મદાના 50 થી વધુ ગામોને એલર્ટ કર્યા છે. આ ઉપરાંત તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRF, SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
