Gujarat Politics: રાહુલ ગાંધીના નિવેદનનો જામનગરમાં ભારે વિરોધ, હિન્દુ સેના દ્વારા રાહુલ ગાંધીના પુતડાની નનામી કાઢવામા આવી

July 2, 2024

Gujarat Politics : કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લોકસભામાં(Lok Sabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનને લઈને ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના (BJP) અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી.રાહુલ ગાંધીના આ નિવેદન બાદ તેમનું આ નિવેદન હિન્દુ વિરોધી ગણાવીને ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામા આવી રહ્યો છે ત્યારે જામનગરમાં (Jamnagar) પણ રાહુલ ગાંધીના નિવેદનના પડઘા પડ્યા હતા. જામનગરમાં હિન્દુ સેનાના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવામા આવ્યો હતો.

રાહુલ ગાંધીના નિવેદનનો જામનગરમાં ભારે વિરોધ

પ્રાપ્ત જાણકારી મુજબ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની હિન્દુ દેવી-દેવતાઓ વિશે ટીપણીને લઇને જામનગરમાં વિરોધ કરવામા આવ્યો હતો. જામનગરમાં અંબિકા ડેરીથી રાહુલ ગાંધીના પુતડાની નનામી કાઢવામાં આવી હતી. હિન્દુ સેનાના કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો.

Gujarat Politics: રાહુલ ગાંધીના નિવેદનનો જામનગરમાં વિરોધ

રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

હિન્દુસેનના કાર્યકરે કહ્યું કે, રાહુલ ગાંધીએ ગઈ કાલે સંસદમાં જે હિન્દુ ધર્મ વિરુદ્ધ બફાટ કર્યો હતો. અને કહ્યું હતુ કે, હિન્દુ બધા હિંસક છે. ત્યારે આજે હિન્દુ સેના દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં કોંગ્રેસ કાર્યાલયે જઈને રેલી સ્વરુપે રાહુલ ગાંધીની નનામી કાઢી છે. અને પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે. રાહુલ ગાંધીને પોતાનું ગોત્ર ખબર નથી અને તે હિન્દુ ધર્મ વિશે અનેક વખત બફાટ કરે છે. તો હવે તેમનો આ બફાટ ચલાવી લેવામા નહીં આવે.

આ પણ વાંચો : Gujarat Politics :મારા નેતાએ સાચા હિનદુત્વની વાત કરી અને સામે મોદીત્વ હિન્દુ સમાજને બદનામ કરે છે : શક્તિસિંહ ગોહિલ

Read More

Trending Video