Gujarat Politics :ગુજરાતમાં મંત્રીમંડળના (Cabinet of Gujarat Government) વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઇ છે. જો કે, મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે હજુ નક્કી નથી ત્યારે અત્યારથી મંત્રીમંડળમાં મહત્વનું પદ મેળવવા માટેની માંગ થઇ રહી છે. જાણકારી મુજબ કોળી સમાજે (Koli samaj) કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને (Kunvarji Bavaliya) ડેપ્યુટી મુખ્યમંત્રી (Deputy CM) બનાવવા માંગ કરી છે.
કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવા માંગ
પ્રાપ્ત જાણકારી મુજબ ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel) મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કોળી સમાજને મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વ મળે તે માટે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. જસદણ વિંછીયા પંથકના કોળી સમાજના આગેવાનોએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની દિલ્હી સુધી રજુઆત કરી છે.
મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરવામા આવી
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમનાં પૂર્વ અધ્યકક્ષ ભુપત એમ. ડાભી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા રજૂઆત કરવામા આવી છે. તેમણે પત્રમા લખ્યું છે કે, લોકસભા સૌરાષ્ટ્ર કોળી સમાજ તેમજ ગુજરાતનાં ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજ દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે. તેમજ કુંવરજી બાવળિયાએ તાજેતરમાં દિલ્હીની મુલાકાત લીધી હતી તે સૂચક ગણાઈ રહી છે. ત્યારે કોળી સમાજની લાગણી અને માંગણીને ધ્યાનમાં લેવામા આવે છે કે નહીં તે જોવું રહ્યું…
કોણ છે કુવરજી બાવળીયા ?
કુવરજી બાવળીયા પહેલા કોંગ્રેસમાં હતા. વર્ષ 1995થી લઈને અલગ અલગ વિધાનસભાની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં કુંવરજી બાવળિયાનો દબદબો જોવા મળ્યો છે.બાવળિયા વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં રાજકોટના સાંસદ તરીકે પણ ચૂંટાયા તા. તેમજ વર્ષ 2017ની ચૂંટણીમાં કુવરજી બાવળીયા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા પરંતુ તેમને વર્ષ 2018માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. વર્ષ 2022ની ચૂંટણીમાં બાવળિયાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવતા તેઓ જંગી બહુમતીથી વિજય બન્યા છે. ત્યારે તેમને કેબિનેટ પ્રધાનનું પદ સોંપાયું હતું. કુવરજી બાવળીયા સૌરાષ્ટ્ર ભરના કોળી સમાજમાં આગવું પ્રભુત્વ ધરાવે છે.
શું ભાજપ કોંગ્રેસમાંથી આવેલા નેતાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવશે ?
મહત્વનું છે કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં જુથવાદ જોવા મળ્યો હતો. ભાજપમા અંદરો અંદર ચાલી રહેલ વિખવાદને લઈ પાર્ટીની છબી ખરડાવા પામી છે. ભાજપના ભરતી મેળાને લઈને મુળ ભાજપના કાર્યકરોમાં નારાજગી છે કેમકે જે લોકો વર્ષોથી ભાજપમા રહીને નિષ્ઠાથી કામ કરી રહ્યા છે તેમની જગ્યાએ જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હોય તેમને પદ આપવામા આવે છે. ત્યારે કુવરજી બાવળીયા પણ મુળ કોંગ્રેસી છે ત્યારે જો તેમને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામા આવે તો કદાચ વિરોધનો સુર ફરીથી ઉઠી શકે છે ત્યારે હવે ભાજપ પાર્ટી દ્વારા શું નિર્ણય લેવામા આવે છે તે તો સમય જ બતાવશે.
આ પણ વાંચો : Ganesh Gondal Case :આજે દલિત સમાજનું ફરી મહાસંમેલન, શું રાજુ સોલંકી મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે ?