Gujarat Police Exam 2024: ગુજરાત પોલીસ ભરતીની (Gujarat Police recruitment ) તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ (Hasmukh Patel) અવાર નવાર ઉમેદવારોને પોલીસ ભરતી અંગે અપડેટ આપતા રહેતા હોય છે ત્યારે ફરી એક વાર હસમુખ પટેલે પોલીસ ભરતીને લઈને મહત્વની અપડેટ આપી છે જેમાં હસમુખ પટેલે લોકરક્ષક દળ અને પીએસઆઈ બંનેમાં ફોર્મ ભર્યા હોય તેવા ઉમેદવારોને મુઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા છે.
પોલીસ ભરતીને લઈને હસમુખ પટેલનું મોટુ નિુવેદન
હસમુખ પટેલે જણાવ્યું છે કે, ‘લોકરક્ષક દળ તથા પીએસઆઈ ભરતીની આગળની પ્રક્રિયા ચાલુ છે. શારીરિક કસોટી માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેમણે શારીરિક કસોડી અંગે માહિતી આપતા જણાવ્યુ કે, 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ કરવા માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. લગભગ 45 દિવસમાં શારીરિક કસોટીની કામગીરી પૂર્ણ કરાશે. તેમણે જણાવ્યું કે, સૌથી પહેલા પીએસઆઈ અથવા પીએસઆઈ-લોકરક્ષક દળની શારીરિક કસોટી લેવાશે. જેથી પીએસઆઈની શારીરિક કસોટી પૂર્ણ થાય અને તેની લેખિત કસોટી યોજાશે. ત્યારબાદ લોકરક્ષક દળની લેખિત કસોટી યોજાશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા બંને કસોટીઓ SSCની કસોટીઓ પહેલા પૂર્ણ થાય તે માટેનું આયોજન છે. વધુમાં તેમણે જણાવ્યું કે, શાંતિપૂર્ણ માહોલમાં કસોટી આપી શકે તે પ્રકારનું આયોજન કરાયું છે.
સંસ્થાઓને મેદાન ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી
હસમુખ પટેલે ઉમેદવારોને તૈયારી શરુ દેવા માટે જણાવ્યું છે તેમજ ઉમેદવારોની પ્રેક્ટીસ માટે સંસ્થાઓને મેદાન ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરી છે.
હસમુખ પટેલે લેખિત પરીક્ષા અંગે આપી માહિતી
આ સાથે હસમુખ પટેલે લેખિત પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે, લોકરક્ષક દળની લેખિત કસોટી જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીમાં લેવાઈ શકે. તેમજ પહેલું પ્રશ્ન પત્ર છે તે હેતુલક્ષી ઓએમઆર, નિબંધલક્ષી પ્રશ્ન પત્ર છે. પીએસાઈની કસોટી જલ્દીથી લઈને પેપર તપાસવામાં વધુ સમય ના લાગે એટલા માટે આ રીતે કરી રહ્યા.’
ઉમેદવારો માટે હેલ્પ લાઈન નંબર આપવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યુ કે, ઉમેદવારો માટે હેલ્પ લાઈન નંબર આપવામાં આવશે.’સપ્ટેમ્બરમાં ફોર્મ ભર્યા ત્યારે હેલ્પલાઈન શરૂ કરી હતી અને હજુ તે નંબર ચાલુ જ છે. તેમજ શારીરિક કસોટી માટે કોલલેટર ઈશ્યૂ કરીશું ત્યારે પણ હેલ્પલાઈનનો ઉપયોગ કરીશું તેમ પણ જણાવવાાં આવ્યું છે.
એક કરતાં વધુ ફોર્મ ભર્યું હશે તેના બધા જ ફોર્મ મર્જ કરવામાં આવશે
આ સાથે હસમુખ પટેલે જણાવ્યું હતુ કે, એક કરતાં વધુ ફોર્મ ભર્યું હશે તેના બધા જ ફોર્મ મર્જ કરવામાં આવશે, તેમણે જણૈવયુ કે, લોકરક્ષક દળના 11 લાખ ઉમેદવાર, લોકરક્ષક-પીએસઆઈના 4 લાખ 38 હજાર ઉમેદવાર, માત્ર પીએસઆઈના 60 હજાર ઉમેદવાર છે.’
ઉમેદવારોને લેભાગુ તત્વોથી સાવઘાન રહેવા આપી સલાહ
આ સાથે હસમુખ પટેલે ઉમેદવારોને લેભાગુ તત્વોથી સાવઘાન રહેવા સલાહ આપી છે. તેમજ ઉમેદવારોને એવી કોઈ ભૂલ ન કરવા માટે પણ ચેતવ્યા છે. તેમણે કહેયુ કે, જેમણે પણ પૈસા લીધા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ છે અને જેમણે પૈસા આપ્યા છે તેમને ભવિષ્યની કસોટી માટે રદ કર્યા છે. તેથી પૈસા આપવાના ચક્કરમાં નહીં પડવા ઉમેદવારોને જણાવ્યું છે.