ગુજરાતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Narmada નીરના વધામણા બાદ કહી આ વાત

October 1, 2024

Narmada: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બપોરે વિજય મુહૂર્ત દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે નર્મદા મૈયાના વધામણા કર્યા છે. આ વર્ષે સારા ચોમાસાના વરસાદ બાદ સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવા લાગ્યો હતો. જળાશય અત્યાર સુધીમાં 51 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યું છે અને ઓવરફ્લો થવાને કારણે કુલ 10,012 મિલિયન ક્યુબિક મીટર એટલે કે 8,177 MAF પાણી આવ્યું છે.

સરદાર સરોવર ડેમમાં સંગ્રહિત પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ અને ઉત્તર ગુજરાતના 9 મોટા-મધ્યમ જળાશયો અને 909 તળાવોને સુજલામ સુફલામ યોજના દ્વારા ભરવામાં આવે છે.

નર્મદા યોજના

આ વર્ષે ચોમાસા દરમિયાન નર્મદા યોજનાના રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસમાં અત્યાર સુધીમાં કુલ 1343 મેગાવોટ અને 6283 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. રાજ્યના 10,014 ગામો, 183 શહેરો અને 7 મ્યુનિસિપલ વિસ્તારોના કુલ 4 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડતા આ પ્રોજેક્ટનો જળાશય ભરાઈ જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રોચ્ચાર વચ્ચે નર્મદા નીરના વધામણા કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે 2014માં વડાપ્રધાન પદ સંભાળ્યાના 17 દિવસમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમનું બાકી રહેલું કામ પૂર્ણ કરવા અને દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે પણ સત્વરે આ કામગીરી હાથ ધરી હતી અને 30 ગેટની કામગીરી સહિતની તમામ કામગીરી નિર્ધારિત સમય કરતાં 9 મહિના પહેલા પૂર્ણ કરી હતી.

ગુજરાતમાં જલ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિની સમકક્ષ નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમનું જળ સ્તર તેની મહત્તમ સપાટી 138.68 મીટર એટલે કે 455 ફૂટ સુધી પહોંચી ગયું છે. આ 138.68 મીટર સપાટી પર ડેમની કુલ પાણી સંગ્રહ ક્ષમતા 9460 મિલિયન ઘન મીટર છે.

Read More

Trending Video