Gujarat Congress : ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના હિન્દૂ ધર્મ પરના નિવેદનને લઇ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેને લઈને 2 જુલાઈના રોજ કોંગ્રેસ (Congress) ઓફિસ પાસે ભાજપ (BJP) અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારની ઘટના બની હતી. છેલ્લા બે દિવસથી ભાજપની FIR નોંધી પણ લેવામાં આવી હતી અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસની ફરિયાદ નોંધવામાં આવી નહોતી. હવે આજે કોંગ્રેસની ફરિયાદ નોંધવામાં આવી છે.
કોંગ્રસ કાર્યાલય ખાતે પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રસ કાર્યાલય પર કલંકિત ઘટના બની હતી અને મિલકતને પણ નુકસાન પહોંચ્યું હતું. બીજેપી યુવા મોરચાનાં 200-300 જેટલા આગેવાનો PCC આવ્યા અને દેખાવો કર્યા હતા અને ત્યારબાદ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ગઈકાલે કોંગ્રેસ તરફથી ચીમકી આપવામાં આવી હતી અને જો ફરિયાદ નોંધવામાં નહિ આવે તો કમિશ્નર કચેરી ખાતે ધરણા કરવામાં આવશે. આ ચીમકી બાદ હવે આજે કોંગ્રેસની ફરિયાદ નોંધવામાં આવી છે. કોંગ્રેસે ભાજપના યુવા મોરચાના 15 સભ્યોના નામજોગ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે CCTVનાં આધારે તપાસ કરીને પગલાં લેવામાં આવશે. ભાજપના 200થી વધુ લોકો સામે તપાસ કરવામાં આવશે.