Gujarat Congress : ગુજરાતમાં હાલ ખેડૂતોને મુદ્દે રાજકારણ ખુબ જ ગરમાયુ છે. અને તેના જ કારણે હવે એક બાદ એક પક્ષ કોઈને કોઈ રીતે સરકારનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ આગામી ટૂંક જ સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે. અને તેના જ કારણે હવે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, દરેક પક્ષ સતત સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આ સાથે જ કોંગ્રેસે જન આક્રોશ રેલીની શરૂઆત કરી છે. અને આ રેલીમાં ખેડૂતો, યુવાનોને રોજગારી જેવા મુદ્દાઓ પર જન આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી છે. આજે આ જન આક્રોશ રેલી બનાસકાંઠાના પાલનપૂર ખાતે પહોંચી હતી.
હાલ ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે. અને આ જન આક્રોશ યાત્રા આજે બનાસકાંઠાના પાલનપુર પહોંચી હતી. જ્યાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ દારૂબંધી છતાં ગુજરાતમાં ખુલ્લેઆમ મળી આવતા દારૂ અને ડ્રગ્સ મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્યમાં યુવાઓને રોજગારી તો નથી મળી રહી પણ ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું છે, જેના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઇ રહ્યું છે. આ દારૂ અને ડ્રગ્સના કારણે હવે લોકોના પરિવાર બરબાદ થઇ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચમરબંધી નહિ છોડવાની વાતો કરે છે. અને તેઓ જનપ્રતિનિધિઓને બદનામ કરે છે.