CM Bhupendra Patel Birthday : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો (CM Bhupendra Patel) આજે 62મો જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસ પર મુખ્યમંત્રીએ વહેલી સવારે અડાલજ (Adalaj) સ્થિત ત્રિમંદિરમાં (Trimandir) દર્શન કર્યા હતા અને ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. પોતાના જન્મ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિવસભર વિવિધ સેવાકીય કાર્યોમાં ભાગ લેશે.જાણકારી મુજબ CM ભૂપેન્દ્ર પટેલ દિવસ દરમિયાન વૃક્ષારોપણ, નોટબુક વિતરણ સહિતના કાર્યકમોમાં ભાગ લેશે. આ સાથે સાંજે સોલા ભાગવત મંદિર ખાતે મહાઆરતી કરશે.
આપની સ્નેહભરી શુભકામનાઓ અને પ્રેરક શબ્દો બદલ હૃદયથી આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી.
ગુજરાતના સર્વાંગીણ વિકાસના આપશ્રીએ કંડારેલા પથ પર આગળ વધીને જનકલ્યાણ માટે ‘ટીમ ગુજરાત’ અવિરત કર્તવ્યરત છે. 2047 સુધીમાં વિકસિત ભારતનું વિઝન આપશ્રીએ આપ્યું છે, તેમાં જનશક્તિના… https://t.co/VnE80jjGf2
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 15, 2024
PM મોદીએ આપી શુભેચ્છા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. તેમજ પીએમ મોદીએ રાજ્યના વિકાસ માટે સીએમ પટેલના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ X પર એક પોસ્ટ કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જેમાં તેમણે લખ્યું છે કે, “ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ. તેઓ ગુજરાતના વિકાસને પ્રોત્સાહન આપવા અને રાજ્યના યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. તેઓની સેવામાં તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન આપે એવી પ્રાર્થના.
આજે જન્મદિવસ પર અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન-અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો.
વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન સહિત દેવી-દેવતાઓના દર્શન કરી રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ અને રાજ્યના અવિરત સર્વાંગીણ વિકાસ માટે પ્રાર્થના કરી.
ત્રિમંદિર પરિસરમાં… pic.twitter.com/hSJlHwDz7n
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 15, 2024
CM ભૂપેન્દ્ર પટેલે અડાલજના ત્રિમંદિરમાં દર્શન કર્યા
જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે અડાલજ ત્રિમંદિર સ્થિર દાદા ભગવાન મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ત્રિમંદિર સંકુલમાં દાદા ભગવાન પૂજ્ય નીરુની સમાધિમાં માથું નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે શિવ મંદિરમાં દેવી-દેવતાઓના દર્શન કર્યા હતા અને જલાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્યના લોકોના આરોગ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સતત વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો : આણંદ નજીક ભયાનક અકસ્માત, ડિવાઈડર પર બેસેલા લોકો પર બસ ફરી વળી, 6ના મોત, 8 ઇજાગ્રસ્ત