ગુજરાતના CM Bhupendra Patel નો આજે 62મો જન્મદિવસ, અડાલજના ત્રિમંદિરમાં દર્શન કરી દિવસનો કર્યો પ્રારંભ

July 15, 2024

CM Bhupendra Patel Birthday :  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો (CM Bhupendra Patel) આજે 62મો જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસ પર મુખ્યમંત્રીએ વહેલી સવારે અડાલજ (Adalaj) સ્થિત ત્રિમંદિરમાં (Trimandir) દર્શન કર્યા હતા અને ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. પોતાના જન્મ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિવસભર વિવિધ સેવાકીય કાર્યોમાં ભાગ લેશે.જાણકારી મુજબ CM ભૂપેન્દ્ર પટેલ દિવસ દરમિયાન વૃક્ષારોપણ, નોટબુક વિતરણ સહિતના કાર્યકમોમાં ભાગ લેશે. આ સાથે સાંજે સોલા ભાગવત મંદિર ખાતે મહાઆરતી કરશે.

PM મોદીએ આપી શુભેચ્છા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. તેમજ પીએમ મોદીએ રાજ્યના વિકાસ માટે સીએમ પટેલના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ X પર એક પોસ્ટ કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જેમાં તેમણે લખ્યું છે કે, “ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ. તેઓ ગુજરાતના વિકાસને પ્રોત્સાહન આપવા અને રાજ્યના યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. તેઓની સેવામાં તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન આપે એવી પ્રાર્થના.

CM ભૂપેન્દ્ર પટેલે અડાલજના ત્રિમંદિરમાં દર્શન કર્યા

જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે અડાલજ ત્રિમંદિર સ્થિર દાદા ભગવાન મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ત્રિમંદિર સંકુલમાં દાદા ભગવાન પૂજ્ય નીરુની સમાધિમાં માથું નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે શિવ મંદિરમાં દેવી-દેવતાઓના દર્શન કર્યા હતા અને જલાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્યના લોકોના આરોગ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સતત વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો : આણંદ નજીક ભયાનક અકસ્માત, ડિવાઈડર પર બેસેલા લોકો પર બસ ફરી વળી, 6ના મોત, 8 ઇજાગ્રસ્ત

Read More

Trending Video