Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન ગયું છે. અને તેના જ કારણે જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ ખેડૂતો સરકાર સામે સહાયની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ સરકાર કૃષિ રાહત પેકેજ ક્યારે જાહેર કરશે તેની રાહ જોવામાં આવી રહી છે. ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં સર્વે સહિતની માહિતી મુખ્યમંત્રીએ મેળવી હતી. આ સાથે જ હવે આજે તેમણે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે. અને આ પોસ્ટમાં તેમણે ટૂંક સમયમાં જ કૃષિ રાહત પેકેજની ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે. ત્યારે જોવાનું રહ્યું કે રાહત પેકેજ તો જાહેર કરી દેશે પણ દરેક ખેડૂત સુધી સહાય પહોંચશે કે નહિ.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.
રાજ્યના મંત્રીશ્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી…
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 2, 2025
આ પણ વાંચો : Mexico : મેક્સિકોમાં સુપરમાર્કેટમાં ભીષણ આગ, અનેક બાળકો સહિત 23 લોકોના મોત