‘કોચિંગ સેન્ટરો બની ગયા છે ડેથ ચેમ્બર’, UPSCના વિદ્યાર્થીઓના મોત મામલે SC ગુસ્સે 

August 5, 2024

SC on coaching centre: દિલ્હીમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોતને લઈને લોકોમાં ભારે રોષ છે. આ મામલે વિદ્યાર્થીઓ પણ વિરોધ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે(sc) સોમવારે દિલ્હી કોચિંગ સેન્ટરની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના મામલાની સુઓ મોટો સંજ્ઞાન લીધું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને નોટિસ પાઠવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, “કોચિંગ સેન્ટરો દેશના વિવિધ ભાગોમાંથી આવતા વિદ્યાર્થીઓના જીવન સાથે રમત રમી રહ્યા છે.” કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે હાઈકોર્ટના આદેશ સામે કોચિંગ સેન્ટર ફેડરેશન સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું.

ફેડરેશનની અરજી પર સખત નારાજગી વ્યક્ત કરતા કોર્ટે તેના પર 1 લાખ રૂપિયાનું વળતર પણ લગાવ્યું હતું અને સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, “કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા છે. જો સુરક્ષાના માપદંડોને પૂર્ણ ન કરી શકાય તો તેઓ તેને ફક્ત ઓનલાઈન ચલાવવું વધુ સારું રહેશે.” દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં બનેલી ઘટના આંખ ખોલનારી છે. જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્યાં ભણવા ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા.

Read More

Trending Video