ભાજપની બસમાં રોકેલી જગ્યા આખરે મેળવી લેશે અંબરીશ ડેર? CR Patil એ કરી અંબરીશ ડેર સાથે મુલાકાત

March 4, 2024

રાજુલાના પૂ્ર્વ ધારાસભ્ય અંબરીશ ડેર કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે ત્યારે આ અટકળોની વચ્ચે સી આર પાટીલે અંબરીશ ડેર સાથે મુલાકાત કરી છે. તેમની આ મુલાકાતથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે જો કે સી આર પાટીલે આ મુલાકાતને ઔપચારિક ગણાવી હતી તેઓ માત્ર તેમની માતાના ખબર અંતર પૂછવા માટે ગયા હતા તેવું તેમને જણાવ્યું હતુ પરંતુ તેમની અચાનક આ મુકાલાતથી અટકળોને વેગ મળ્યો છે.

અંબરીશ ડેરની CR Patil સાથે મુલાકાત

પ્રાપ્ત જાણકારી મુજબ આજે અંબરીશ ડેરની ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે સી આર પાટીલ અને અમરીશ ડેરની મુલાકાત થઈ હતી. સી આર પાટીલ આજે અમદાવાદ ખાતે સેટેલાઈટ વિસ્તારમા આવેલ અંબરિશ ડેરના ઘરે પહોંચ્યા હતા. જો કે તેમને આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. અંબરિશ ડેરની માતાની તબિયત ખરાબ હોવાથી ખબર અંતર પૂછ્યા હતા.

CR Patil સાથે પી. કે લહેરી પણ દેખાયા

જો કે તેમની આ મુલાકાત દરમિયાન એક ચોંકવનારી તસ્વીર સામે આવી છે આ તસ્વીરમાં સી આર પાટીલની સાથે પીએમ મોદીના વિશ્વાસુ અધિકારી પી. કે લહેરી પણ તેમની સાથે દેખાઈ રહ્યા છે. જેથી આખુ ઓપરેશન દિલ્હીથી પાર પાડવામા આવી રહ્યું હોવાનું કહેવામા આવી રહ્યું છે. તેમને જણાવી દઈએ કે, પી. કે લહેરી હાલ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પીએ હતા.

સી આર પાટીલે અમરીશ ડેરને આપી હતી ઓફર

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સી આર પાટીલે અમરીશ ડેર માટે કહ્યું હતુ કે, જો તેઓ ભાજપમાં આવવા માંગે છે તો તેમની માટે સીટ પર રુમાલ રાખ્યો છે. આમ કહી તેમની જાહેર સ્ટેજ પરથી જ અંબરિષ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે તેમની આ મુલાકાત માત્ર ઔપચારિક હોય તેવું લાગી રહ્યું નથી. ચર્ચા છે કે, અંબરીશ ડેર થોડા દિવસોમાં જ ભાજપમાં જોડાશે અને તેઓ અમરેલીથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. ત્યારે જો તેઓ ભાજપમાં જોડાશે તો તેમની સાથે અહીથી અન્ય વિપક્ષનો સ્થાનિક નેતાઓનો મોટો સમુહ પણ ભાજપમાં જોડાશે. જેના કારણે કોંગ્રેસને લોકસભા પહેલા જ મોટો ઝટકો લાગી શકે છે.

આ પણ વાંચો : લોકસભા પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું પડશે !અંબરીશ ડેર કોંગ્રેસને રામ રામ કરી કેસરિયો કરવાની તૈયારીમાં

Read More

Trending Video