CM on Rajkot Fire : રાજકોટ ગેમઝોન મામલે મુખ્યમંત્રીની પ્રતિક્રિયા, કહ્યું, “ક્યાંક આપણાથી તો કોઈ ભૂલ નથી થઇ ને ?”

June 13, 2024

CM on Rajkot Fire : રાજકોટ (Rajkot)માં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક સાંજે આગ લાગી હતી. આ આગે માત્ર થોડી જ ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને અંદર લોકો ફસાઈ ગયા. આ ઘટના સર્જાઈ ત્યારે ત્યાં અંદાજે 300 જેટલા લોકો હાજર હતા. જયારે આખા ગેમઝોનમાં આગ લાગી ત્યારે ત્યાં ઘણા લોકો ફસાઈ ગયા અને આ આગમાં અંતે 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. ત્યારબાદ તેમાં SIT ની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી. અંતે ગેમઝોનના સંચાલક ,TPO અધિકારી અને અન્ય જવાબદાર નાના અધિકારીઓને તેમાં સસ્પેન્ડ કરાયા. હવે આ મુદ્દે મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. આજે યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અગ્નિકાંડ (CM on Rajkot Fire) મામલે નિવેદન આપ્યું હતું.

રાજકોટ ગેમઝોન મામલે મુખ્યમંત્રીની પ્રતિક્રિયા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ ગેમઝોન મામલે વાત કરતા કહ્યું કે, આ ઘટના બાદ લાગ્યું કે ક્યાંક આપણાથી તો કોઈ ભૂલ થઇ નથી ને ? આપણી પહેલી પ્રાયોરિટી લોકોની જિંદગી હોવી જોઈએ. આપણે જે લોકો માટે વિકાસ કરી રહ્યા છીએ. તે લોકોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અત્યારે આપણે વિકાસની પાછળ ડોટ મૂકીએ છીએ, તેની સામે જે લોકો માટે વિકાસ કરીએ છીએ તેમનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારની ઘટના ફરી ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. હવે ક્યારેય પણ આ પ્રકારનું ગેરકાયદેસર કામને પહેલા જ અટકાવી દેવું જેથી ફરી આવી કોઈ ઘટના બને જ નહિ. સાથે જ આ મામલે તેમણે પત્રકારોની પણ પ્રસંશા કરી હતી. અને કહ્યું કે મીડિયાએ પણ અમારી આ ઘટના મામલે ઘણી મદદ કરી છે. અમે અત્યારે આ મામલે મીડિયામાં આવતી ખબરો પર પણ ધ્યાન આપીએ છીએ અને જે મુદ્દાઓ અમે ચુકી જતા હોઈએ તે અમને ત્યાંથી મળી રહે છે.

આ પણ વાંચોG7 Summit : ઇટાલીના PM મેલોનીએ મહેમાનોનું બે હાથ જોડી સ્વાગત કર્યું, G7 સમિટમાં દેખાઈ ભારતની છાપ

Read More

Trending Video